1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જાણીતા સિરામીક જૂથ ઉપર આવકવેરાના દરોડા, 25 સ્થળો ઉપર તપાસ
જાણીતા સિરામીક જૂથ ઉપર આવકવેરાના દરોડા, 25 સ્થળો ઉપર તપાસ

જાણીતા સિરામીક જૂથ ઉપર આવકવેરાના દરોડા, 25 સ્થળો ઉપર તપાસ

0
Social Share

અમદાવાદઃ આવકવેરા વિભાગે સીરામિકના વ્યવસાય સાથે સંકળાયેલી જાણી કંપની ઉપર દરોડા પાડ્યાં હતા. મોરબી, અમદાવાદ અને રાજકોટમાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના દરોડાના પગલે સિરામીકના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય જૂથના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં સીરામિક કંપનીની ઓફિસમાં તપાસ શરૂ કરાઈ હતી. ઓફિસના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અનેઓફિસમાં રહેલા દસ્તાવેજ ચકાસવામાં આવ્યાં હતા. આઈટી વિભાગે મોરબીમાં આવેલી કંપનીના એકમ પર દરોડા પાડ્યા હતા.

અમદાવાદ, રાજકોટ અને મોરબી સહિત આશરે 25 ઠેકાણે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મોરબીમાં અલગ અલગ 3 જગ્યા પર કંપનીના યુનિટ પર તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે દરોડા દરમ્યાન આવકવેરા વિભાગને મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવ્હાર મળે તેવી શકયતા છે.

અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડાના અંતે કરોડોની કરચોરી બહાર આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code