ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભારતીય મહિલા ટીમની પસંદગી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટી20 અને ટેસ્ટ સીરિઝ (એક ટેસ્ટ)ને લઈને ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. 6 ડિસેમ્બરથી ભારતીય મહિલા ટીમ ઈંગ્લેન્ડની સાથે 3 ટી20 મેચની સીરિઝ રમશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડની સાથે 14મી ડિસેમ્બરના રોજ એક ટેસ્ટમેચ રમશે. ઈંગ્લેન્ડ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવશે. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચથી ભારતીય મહિલા ટીમ પોતાના પ્રયાસની શરુઆત કરશે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ બાદ ભારતીય ટીમ 3 વનડે અને 3 ટી20 મેચની સીરિઝ પણ રમશે. બીસીસીઆઈએ હાલ ઓસ્ટ્રેલિયા સામે લિમિટેડ ઓવરની સીરિઝ માટે ટીમની પસંદગી નહીં કરી હોવાનું જાણવા મળે છે.
મહિલા પસંદગી સમિતીએ ટીમની પસંદગી કરી છે. જેમાં શ્રેયંકા પાટિલ અને મણિ જૈસી જેવી યુવા ખેલાડીઓને ટી20માં સ્થાન આપ્યું છે. હરમનપ્રીત કૌર બંને ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કપ્ટીની કરશે. જ્યારે સ્મૃતિ મંધાનાને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપી છે. તેમજ બંને ફોર્મેટમાં કોર ટીમ યથાવત રહશે. ઈંગ્લેન્ડની સામે 3 ટી20 વાનખેડેમાં રમશે. જ્યારે ટેસ્ટ મેચ ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં રમાશે. આવી જ રીતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ અને 3 વનડે મેચ ભારતીય ટીમ વાનખેડેમાં રમશે. જ્યારે 3 ટી20 મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમશે.
સૈફા ઈશાકને ટેસ્ટ કોલઅપના રૂપમાં બંને ફોર્મેટમાં પસંદ કરાઈ છે. જ્યારે સ્નેહ રાણા અને હરલીન દેયોલ ટી20 ટીમમાં સ્થાન મેળવી શકી નથી, પરંતુ તેમની ટેસ્ટ ટીમમાં પસંદગી કરાઈ છે.
ઈંગ્લેન્ડની સામે 3 ટી20 મેચમાં ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન) સ્મ-તિ મંધાના (વાઈસ કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, દિપ્તી શર્મા, યાસ્તિકા ભાટીયા (વિકેટ કીપર), ઋચા ઘોષ (વિકેટ કીપર), અમનજોત કૌસ, શ્રેયંકા પાટિલ, મન્નત કશ્યપ, સૈફા ઈશાક, રેણુકા સિંહ ઠાકુર, તિતાસ સાધુ, પુજા વસ્ત્રાકર, કનિકા આહુજા, મિન્નુ મણિ
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, દીપ્તી શર્મા, યાસ્તિકા ભાટીયા (વિકેટ કીપર), ઋચા ઘોષ (વિકેટ કીપર), સ્નેહ રાણા, શુભા સતીશ. હરલીન દેયોલ, સૈફા ઈશાક, રેણુકા સિંહ ઠાકુર, તિતામ સાધુ, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, પુજા વસ્ત્રાકર