ચાંદીગઢ- પંજાબ ની એક શાળામાં અચાનક જ 40 બાળકોની તબિયત બગાડવાની ઘાટણ બની છે જેણે લઈને શાળામાં અફરતફરીનો માહોલ સર્જાયો છે આ મામલે મળતી વિગત અનુસાર બાળકોની તબિયત બગાડવાનું કારણ ભોજનને માનવામાં આવી રહ્યું છે .
સંગરુર નજીક સરકારી મેરીટોરીયસ સ્કૂલમાં દૂષિત ખોરાક ખાવાથી 40 બાળકો બીમાર પડ્યા છે. બિમાર બાળકોને સિવિલ હોસ્પિટલ સંગરુરમાં સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોએ જણાવ્યું હતું કે શાળામાં પીરસવામાં આવતો ખોરાક હલકી ગુણવત્તાનો હતો.
સરકારી મેરીટોરીયસ સ્કૂલમાં દૂષિત ખોરાક ખાધા બાદ શુક્રવારે મોડી રાત્રે 18 બાળકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 14 બાળકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી, જ્યારે 4 બાળકોની સ્થિતિ નાજુક હોવાથી દાખલ કરવામાં આવ્યા છે.
આજરોજ શનિવારે સવારે શાળામાંથી 20 બાળકોને દાખલ કરાયા હતએ દાખલ થયેલા બાળકોમાં મોઢામાં ફીણ આવવાની, પેટમાં દુ:ખાવો અને ઉલ્ટી થવાની ફરિયાદો મળી છે. હોસ્પિટલમાં દાખલ થયેલા બાળકોએ જણાવ્યું કે દિવાળીથી તેમને નબળી ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવી રહ્યું છે. આ અંગેની ફરિયાદ સંચાલકોને પણ મોકલવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આજરોજ ઘટનાની જાણ થતાંની સાથે જ ધારાસભ્ય નરિન્દર ભારજ બાળકોની હાલત જાણવા ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વાલીઓને તેમના બાળકોની તબિયત બગડ્યાના સમાચાર મળતા જ તેઓ તુરંત શાળાએ પહોંચ્યા હતા. થોડા સમય માટે બાળકોના વાલીઓને શાળાના મુખ્ય ગેટ પર બેસાડી રાખવામાં આવ્યા હતા અને શાળા પ્રશાસન દ્વારા શાળાના બંને ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા
જોકે ધારાસભ્ય નરિન્દર કૌર ભારજના આગમન બાદ ગેટ ખોલવામાં આવ્યો હતો અને વાલીઓને જાણ કરીને શાંત કરવામાં આવ્યા હતા. હાલમાં બાળકોની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.આ સાથે જ ભોજનનું ટેન્ડર તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે.
એમ પણ કહવામાં આવી રહ્યું છે કે શુક્રવારની રાત્રિના ભોજનમાં જંતુઓ જોવા મળ્યા હતા, પરંતુ મેસના કોન્ટ્રાક્ટરે જંતુઓથી ભરપૂર ખોરાક જ પીરસ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે બાળકો તરફથી ખોરાક અંગે મળેલી ફરિયાદોના આધારે સંચાલકોને અનેક વખત જાણ કરવામાં આવી છે, પરંતુ કોઈ પગલાં ન લેવાતાં તેમના બાળકોની તબિયત લથડી છે. વાલીઓએ આ મામલાની તપાસ કરીને હલકી ગુણવત્તાનું મટિરિયલ પીરસનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.