1. Home
  2. ગુજરાતી
  3. ભારતની નિકાસ વધી,હવે ઈજિપ્તમાં ભારત 10 લાખ ટન ઘઉં મોકલશે
ભારતની નિકાસ વધી,હવે ઈજિપ્તમાં ભારત 10 લાખ ટન ઘઉં મોકલશે

ભારતની નિકાસ વધી,હવે ઈજિપ્તમાં ભારત 10 લાખ ટન ઘઉં મોકલશે

0
Social Share
  • ભારત ઈજિપ્તને કરશે ઘઉંની નિકાસ
  • 10 લાખ ટન ઘઉં ભારતથી થશે નિકાસ
  • ભારતની નિકાસમાં થયો વધારો

દિલ્હી:ભારત સરકાર દ્વારા હવે દેશની નિકાસને વધારવા માટેના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા હવે મોટી સંખ્યામાં ઈજિપ્તમાં ઘઉંની નિકાસ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટના કહેવા પ્રમાણે ભારત સરકાર ઈજિપ્તને 10 લાખ ટન ઘઉંની નિકાસ કરશે. ભારત ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. એક આંકડા મુજબ, ભારત વાર્ષિક આશરે 10.759 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન કરે છે અને મોટાભાગનો વપરાશ સ્થાનિક રીતે થાય છે. તે જ સમયે, અન્ય આંકડા અનુસાર, 2020માં વિશ્વમાં ઘઉંના કુલ ઉત્પાદનમાં તેનો હિસ્સો લગભગ 14.14 ટકા હતો. એ જ રીતે ભારતીય ઘઉંની નિકાસમાં પણ વધારો થયો છે.

ભારત સરકારની નવી પ્રગતિ બાદ હવે ભારતીય ઘઉં ઈજિપ્તના લોકોની ભૂખ સંતોષવા જઈ રહ્યા છે. વાસ્તવમાં ઇજિપ્તે (Egypt)ભારતમાંથી ઘઉંની આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે આ માહિતી શેર કરી.

રશિયા અને યુક્રેનને ઘઉંનો ગઢ કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં ઘઉંની ઉપલબ્ધતા પર અસર પડી છે. જેમાં ભારતીય ઘઉંને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. ઇજિપ્ત ભારતીય ઘઉંના નવા ગ્રાહક તરીકે ઉભરી આવ્યું છે. જે અંતર્ગત શુક્રવારે ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ કરવાની મંજૂરી મળી ગઈ છે.

માહિતી અનુસાર, ભારત સરકાર ઈજિપ્તમાં કુલ 10 લાખ ટન ઘઉંની નિકાસ કરશે, જેમાંથી 2.4 લાખ ટન ઘઉં આ મહિને એપ્રિલમાં સપ્લાય કરવાના છે. હકીકતમાં, અત્યાર સુધી ઇજિપ્ત તેની ઘઉંની સ્થાનિક જરૂરિયાતો માટે સંપૂર્ણપણે રશિયા અને યુક્રેન પર નિર્ભર હતું. જે અંતર્ગત ઇજિપ્તે વર્ષ 2020માં રશિયા પાસેથી 1.8 અરબ ડોલર અને યુક્રેનથી 61.08 કરોડ ડોલરના ઘઉંની આયાત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code