1. Home
  2. ગુજરાતી
  3. UNSCએ વલણ બદલ્યું, આતંકવાદને લગતા નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું
UNSCએ વલણ બદલ્યું, આતંકવાદને લગતા નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું

UNSCએ વલણ બદલ્યું, આતંકવાદને લગતા નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું

0
Social Share
  • તાલિબાન પ્રત્યે UNSCએ પોતાનું વલણ બદલ્યું
  • હવે પોતાના નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું
  • તાલિબાનનો વૈશ્વિક સ્તર પર બહિષ્કાર નહીં કરી શકાય : UNSC

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યાના બે સપ્તાહ પણ નથી થયા પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાલિબાનને લઇને પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પહેલા જ સંકેત આપ્યા હતા કે, હવે તાલિબાનનો વૈશ્વિક સ્તર પર બહિષ્કાર નહીં કરી શકાય.

UNSCમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએમ તિરુમૂર્તિએ ફરી UNSCના અધ્યક્ષ તરીકે એક નિવેદન જારી કર્યું હતું.

આ નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, સુરક્ષા પરિષદના સભ્યોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો સામનો કરવાના મહત્વને રિપીટ કર્યો જેથી એ સુનિશ્વિત કરી શકાય કે અફઘાનિસ્તાનના વિસ્તારનો ઉપયોગ કોઇપણ દેશને ધમકી આપવા અથા હુમલો કરવા માટે નહીં કરવો જોઇએ. અને ન તો તાલિબાન અને ન કોઇપણ અફઘાન સમૂહ અથવા વ્યક્તિને કોઇપણ દેશના વિસ્તારમાં સક્રિય આતંકીઓનું સમર્થન ના કરવું જોઇએ.

કાબૂલ એરપોર્ટ પર થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ તિરુમૂર્તિએ ફરી UNSCના અધ્યક્ષ તરીકે નિવેદન જારી કર્યું છે. 16 ઑગસ્ટે લખેલા ફકરાને ફરી રિપીટ કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં એક ફેરફાર કરતા તાલિબાનનું નામ હટાવી દેવામાં આવ્યું છે.

આ ફેરફાર બાદ સૌથી પહેલા ઉલ્લેખ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પૂર્વ સ્થાયી પ્રતિનિઝિ સૈયદ અકબરુદ્દીને કર્યો. તેમણે UNSCના સ્ટેટમેન્ટની કોપી શેર કરતા લખ્યું કે ફક્ત 15 દિવસમાં ટી શબ્દને હટાવી દેવામાં આવ્યો છે.

નિવેદન પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય જમીની વાસ્તવિકતાઓના ફેરફારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. હકીકતમાં, તાલિબાન વિદેશીઓને હાલમાં નીકળવામાં મદદ કરી રહ્યું છે. અમેરિકા અનુસાર તેમણે 15 ઑગસ્ટ સુધીમાં 1 લાખથી વધારે લોકોને કાઢ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code