1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં અશાંતિ ફેલાવવાનું આતંકી સંગઠનનું કાવતરું, 200 લોકોનું હિટલિસ્ટ તૈયાર કર્યું
ભારતમાં અશાંતિ ફેલાવવાનું આતંકી સંગઠનનું કાવતરું, 200 લોકોનું હિટલિસ્ટ તૈયાર કર્યું

ભારતમાં અશાંતિ ફેલાવવાનું આતંકી સંગઠનનું કાવતરું, 200 લોકોનું હિટલિસ્ટ તૈયાર કર્યું

0
Social Share
  • ભારતને ફરીથી ટાર્ગેટ બનાવવા પાક.ના આતંકી સંગઠનો સક્રિય
  • ઘાટીમાં અશાંતિ ફેલાવવા માટે 200 લોકોનું હિટ લિસ્ટ તૈયાર કર્યું
  • ગુપ્તચર સંસ્થાઓએ આ માહિતી આપી

નવી દિલ્હી: પાકિસ્તાનના આતંકી સંગઠનો ફરીથી ભારતમાં સનસનાટી મચાવવા માટેનું ષડયંત્ર રચી રહ્યા છે. ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ આ અંગે એલર્ટ કર્યા છે. કાશ્મીરને નિશાન બનાવીને દેશભરમાં તણાવ ઉપસ્થિત કરવાનો કારસો ઘડાઇ રહ્યો છે. આ અંતર્ગત ISIએ 200 લોકોનું હિટ લિસ્ટ તૈયાર કર્યું છે. તેમાં કાશ્મીરી પંડિતો, રાજકારણીઓ સહિતના લોકો સામેલ છે.

તે ઉપરાંત સુરક્ષાદળો, ગુપ્તચર સંસ્થાઓ સાથે કામ કરતા કાશ્મીરી લોકો, બિન-કાશ્મીરી લોકો, ભાજપ અને RSS સાથે જોડાયેલા લોકોને પણ ટાર્ગેટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ISIએ 200 લોકોનું જે હિટ લિસ્ટ તૈયાર કર્યું છે તે લોકો ઘાટીમાં તણાવ પેદા માટે અનેક નિર્દોષ નાગરિકો સહિતના લોકોની હત્યાઓને અંજામ આપશે. ભારતીય એજન્સીઓ અને સુરક્ષા દળોને માહિતી આપનારા ઉપરાંત કાશ્મીરી પંડિતોને પણ ટાર્ગેટ બનાવાશે.

એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેને સ્વયંસ્ફુરિત અને સંપૂર્ણ સ્વદેશી પ્રવૃત્તિ તરીકે પ્રસ્તુત કરવા, કાશ્મીરીઓનો ગુનાનો કોઈ રેકોર્ડ નથી પરંતુ ઉગ્રવાદ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકોનો ઉપયોગ કરવામાં આવશે.

ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે ઉરી અને તંગધારથી પિસ્તોલ અને ગ્રેનેડની દાણચોરી કરવામાં આવી રહી છે. તેમજ એક નવું આતંકવાદી સંગઠન બનાવવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code