1. Home
  2. ગુજરાતી
  3. માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણ માટે કોઇ નિશ્વિત સમય ના આપી શકાય: બ્રિટન
માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણ માટે કોઇ નિશ્વિત સમય ના આપી શકાય: બ્રિટન

માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણ માટે કોઇ નિશ્વિત સમય ના આપી શકાય: બ્રિટન

0
Social Share

ભારતમાં SBI સહિત અનેક બેંકોમાંથી 9 હજાર કરોડ રૂપિયાની લોન લઇને રફુચક્કર થઇ જનાર આર્થિક ભાગેડુ અપરાધી વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઇને બ્રિટનનું એક નિવેદન સામે આવ્યું છે. બ્રિટને જણાવ્યું કે વિજય માલ્યાને ક્યારે ભારતને સોંપવામાં આવશે તે અંગે કોઇ નિશ્વિત સમય મર્યાદા આપી શકાય તેમ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતમાં નિયુક્ત બ્રિટિશ હાઇ કમિશનર સર ફિલિપ બાર્ટોને જણાવ્યું છે કે બ્રિટનની સરકાર ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે કોઇ સમય મર્યાદા નિર્ધારિત કરી શકે તેમ નથી.

શું માલ્યાએ બ્રિટનમાં શરણ માગી છે તેવા સવાલના જવાબમાં હાઇ કમિશનરે જણાવ્યું હતું કે તેમની સરકાર આ પ્રકારના મુદ્દાઓ પર ક્યારેય ટિપ્પણી કરતી નથી.

બાર્ટને વધુમાં જણાવ્યું હતું કે બ્રિટનની સરકાર અને કોર્ટ લોકોને બીજા દેશમાં ફરાર થવાથી રોકવા અંગેની પોતાની ભૂમિકા સારી રીતે જાણે છે. આપણે બધા કોઇ પણ કેસમાં પોતાની ભૂમિકાને લઇને એ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છીએ કે રાષ્ટ્રીય સરહદ પાર કરી અપરાધી ન્યાયના દાયરામાંથી બચીને નીકળી ન જાય.

માલ્યાના પ્રત્યાર્પણનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને બ્રિટનની સરકારે આ અંગે કોઇ નવો નિર્ણય લીધો નથી. બ્રિટનની સરકાર એ વાતથી પરિચીત છે કે આ કેસ ભારત માટે કેટલો મહત્વપૂર્ણ છે.

(સંકેત)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code