1. Home
  2. ગુજરાતી
  3. આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવા તાલિબાનનો વધુ એક પ્રયાસ, હવે સુહેલ શાહીનને UNમાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા
આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવા તાલિબાનનો વધુ એક પ્રયાસ, હવે સુહેલ શાહીનને UNમાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા

આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવા તાલિબાનનો વધુ એક પ્રયાસ, હવે સુહેલ શાહીનને UNમાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા

0
Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ તાલિબાન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહ્યું છે. અફઘાન સરકારે કતારમાં શાંતિ મંત્રણા દરમિયાન તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીનનું સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત તરીકે નામ આપ્યું છે. એટલું જ નહીં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલવાની પરવાનગી પણ માંગી છે. તાલિબાનનો નિર્ણય તેમના નિવેદન બાદ આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વના નેતાઓને સંબોધવા માંગે છે. દરમિયાન, કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ વિશ્વના નેતાઓને તાલિબાનનો બહિષ્કાર ન કરવા વિનંતી કરી છે.

તાલિબાન સાથે વાટાઘાટો ચાલુ રાખવાની આવશ્યકતા છે કારણ કે બહિષ્કાર માત્ર ધ્રુવીકરણ તરફ દોરી જશે જ્યારે વાતચીત હકારાત્મક પરિણામો તરફ દોરી શકે છે. તેવું અલ થાનીએ કહ્યું હતું. એવા રાજ્યોના વડાઓનો ઉલ્લેખ કરીને જેઓ તાલિબાન સાથે વાટાઘાટો કરવા માટે નર્વસ છે અને અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા આપવાથી દૂર છે.

તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુતકીએ પણ સોમવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખ્યો હતો. સોમવારે સમાપ્ત થતી સામાન્ય સભાની વાર્ષિક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન મુતકીએ બોલવાની માંગ કરી હતી. ગુટેરેસના પ્રવક્તા ફરહાન હકે મુત્તકીના પત્રની પ્રાપ્તિની પુષ્ટિ કરી.

ગુલામ એમ.ઇસકઝાઇને આ વર્ષે જુલાઇમાં સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના કાયમી પ્રતિનિધિ તરીકે અફઘાનિસ્તાને મંજૂરી આપી હતી. જોકે, અશરફની ગનીની સરકારને ઉથલાવ્યા બાદ તાલિબાનોએ તેને કબજે કરી લીધું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code