
ઈસ્લામિક પવિત્ર માસ રમઝાનનો આરંભ, આજે પહેલો રોઝો, જાણો રોઝામાં કંઈ બાબતોનું રાખવું ધ્યાન
સાહિન મુલતાનીઃ-
- રમઝાન માસનો આજથી આરંભ
- આજે પર્થમ રોજો
- જાણો રોજામાં કઈ બાબતોનું રાખવું ધ્યાન
આજથી ઈસ્લામના પવિત્રા સામ રમજાનનો આરંભ થઈ ચૂક્યો છે આજે પ્રથમ રોજો રાખવામાં આવ્યો છે વિતેલી રાત્રે ચાંદ રાત હોવાથઈ ઈસ્લામિકની પ્રથમ તરાવીની નમાઝમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે આજે પહેલો રોજો છે જો કે ગરમીમા રોજા રાખવા ખરેખર હિમ્મતનું કાર્ય છે,જો કે રોજા દરમિયાન તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ઈસ્લામમાં રમઝાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તે ઈસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે, રમઝાન છે. કુરાનની ઉજવણી માટે પણ એક પ્રસંગ માનવામાં આવે છે. આ દરમિયાન તમામ ઇસ્લામિક લોકો રોજા રાખે છે. રમઝાનના રોઝાનો પ્રથમ ચાંદ થી આરંભ થાય છે.
જાણો શું છે શહેરી અને ઈફ્તારી
સવારે 5 વાગ્યા આ,સપાસ પહેલા શેહરી કરવાની હોય છે જેમાં તમે ગમે કે ખાઈ પી શકો છો ત્યાર બાદ નક્કી કરેલા ટાઈમ ટેબલ અનુસાર રોઝો શરુ થાય છએ જે સાંજે મગરિબની અઝાન અટલે કે સંધ્યા કાળે ખજૂર પાણીને ગ્રહણ કરીને રોઝો ખોલવામાં આવે છે, સવારના ભોજનને શહેરી અને રાત્રીના ભોજનને ઈફ્તારી તરીકે ઓળખવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ‘રમઝાન’ મહિનામાં જન્નતના દરવાજા ખોલવામાં આવે છે અને જેઓ ઉપવાસ રાખે છે તેમને જ જન્નત મળે છે. ઇસ્લામના પયગમ્બરના મતે ‘રમઝાન’ મહિનાનો પહેલો અશરા એટલે કે પહેલા દસ દિવસ જે રહેમત એટલે અલ્લાહની દયાના દિવસો છે , બીજો અશરા મગફિરતના એટલે કે માફી માંગવાના અને ત્રીજો આશરા નરકમાંથી મુક્તિનો છે. આ મહિનો પ્રેમ અને સંયમનો ધોરણ છે, તેથી જ કહેવામાં આવ્યું છે કે દરેક મુસ્લિમે ‘રોઝા’ રાખવા જ જોઈએ.
રોજા દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન
રોઝા દરમિયાન તમારે 14 થી વધુ કલાક માટે પાણી પીયા વગર અને કઈ પ ણખાયા વિના રહેવાનું હોય છે જેથી જ્યારે તમે સવારે શેહરી કરો ત્યારે શહેરી ભોજનમાં લીહું શરબત, મોસંબી જ્યુસ જેવા પીણાનું સેવન કરો અને શહેરી ખતમ થવાના સમયે એક ગ્લાસ પાણી પીલો.
રાત્રે ઈફ્તારીમાં એટલે કે રોઝો ખોલવામાં બને ત્યા સુધી તળેલો, તીખો માસાહાર ખોરાક ટાળો, તેના બદલે ફ્રૂટ્સ જ્યુસ અને દુધના શરબત પીવાનો આગ્રહ રાખો.઼
સમગ્ર દિવસ દરમિયાન તમારું પેટ ખાલી હોવાથી એસિટીડી કે બળતરા જેવી પેટમાં તકલીફ થાય છે તેથી તકમરિયાના શરબત પીવાનો આગ્રહ રાખો જેનાથી પેટમાં ઠંડક રહે છે.
રોજા સિવાય આ મહિનામાં શું કરવામાં આવે છે
રમઝાન માસમાં અનેક લોકો એકબીજાને ત્યા રોઝા માટેનું ભોજનની આપલે કરતા હોય છે,ગરિબોના ઘરે ખોરાક પહોંચાડે છે.પોતાની યથા શક્તિ પ્રમાણે દાન કરે છે જેને તેઓ લીલ્લાહ કહે છે,આ સાથે જ પોતાની પ્રોપર્ટીનો કેટલોક ભાગ તેઓ કોઈ ગરિબ કે બેશહારાને દાન કરે છે જેને જકાત તરીકે ઓળકાય છે,લાચાર બે શહારા લોકો મુસ્લિમ ઘર્મમાં જકાત ખાય શકે છે,જે લોકો કમાવા માટે સક્ષમ છે તેઓ માટે જકાત હરામ છે.આ સાથે જ પોતાના નામનો સત્કો ઉતારીને તે કોઈ જરુરીયાત મંદને આપવામાં આવે છે.અનાથાલયોમાં ભોજનનું દાન કરવામાં આવે છે.આમ આ રીતે એક તરફ રમઝાન માસ સારા કાર્યો કરવાનો મહિનો છે.મોટા ભાગના લોકો ઘાર્મિક ગતિવીધીઓમાં જોતરાય જાય છે,નમાઝ પઢે છે કુરઆનની તિલાવત કરે છે.