1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2019ની તુલનામાં વિતેલા વર્ષે આતંકવાદીઓની ઘટનામાં 63.93 ટકાનો ઘટાડો થયો – ગૃહમંત્રાલય
જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2019ની તુલનામાં વિતેલા વર્ષે આતંકવાદીઓની ઘટનામાં 63.93 ટકાનો ઘટાડો થયો – ગૃહમંત્રાલય

જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2019ની તુલનામાં વિતેલા વર્ષે આતંકવાદીઓની ઘટનામાં 63.93 ટકાનો ઘટાડો થયો – ગૃહમંત્રાલય

0
Social Share
  • વર્ષ 2019થી તૂલનામાં છેલ્લા વર્ષે આતંકીઓની ઘટના ઘટી
  • 63.93 ટકા આતંકીઓની ઘટનામાં ઘટાડો નોંધાયો

દિલ્હીઃ-જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ નાબૂદ થતા અને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ આ રાજ્ય વિકાસના માર્ગ પર રહ્યું છે.ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે એટલે કે વર્ષે 2020 દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 63.93 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, 15 નવેમ્બર 2020 સુધી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2019 ની તુલનામાં વર્ષ 2020મા 63.93 ટકાનો ઘટાડો છે. તે જ સમય દરમિયાન, સુરક્ષા દળોને નુકશાન પહોંચાડવાની ઘટનાઓમાં 29.11 ટકાનો ઘટાડો થયો છે અને નાગરિકોની જાનહાનિમાં 14.28 ટકાનો ઘટાડો થયો છે.

વાર્ષિક સિદ્ધિઓ વિશે માહિતી આપતાં ગૃહમંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોના કાયદાઓનો અમલ કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ સિદ્ધિઓ છે.

ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશોને લગતા 48 કાયદાઓ અને જમ્મુ-કાશ્મીરમાં રાજ્યથી સંબંધિત 167 કાયદા લાગુ કરવાનો હુકમ જારી કર્યો છે. તે જ સમયે, મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર શાસિત લદાખમાં 44 કેન્દ્રીય કાયદાઓ અને 148 રાજ્ય સંબંધિત કાયદા લાગુ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code