1. Home
  2. ગુજરાતી
  3. કાશી તમિલ સંગમમઃ તમિલનાડુના શ્રદ્ધાળુઓએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યાં
કાશી તમિલ સંગમમઃ તમિલનાડુના શ્રદ્ધાળુઓએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યાં

કાશી તમિલ સંગમમઃ તમિલનાડુના શ્રદ્ધાળુઓએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યાં

0
Social Share

નવી દિલ્હીઃ કાશી તમિલ સંગમમનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે તમિલનાડુથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાશી આવ્યાં છે. દરમિયાન તમિલનાડુથી કાશી આવેલા શ્રદ્ધાળુઓએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યાં હતા. ગઈ વર્ષે યોજાયેલા કાશી તમિલ સંગમમમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી.

તમિલ પ્રતિનિધિમંડળની બીજી બેચ, જેમાં શિક્ષકો (જેનું નામ પવિત્ર યમુના નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે) અને આશરે 250 લોકોના સમૂહમાં અન્ય લોકો સામેલ હતા, તેમણે આજે શ્રી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓએ ગંગાના કાંઠે, વિશાલાક્ષી અને અન્નપૂર્ણા મંદિરો અને અન્નપૂર્ણા ભવનની મુલાકાત લીધી હતી. કાશી તમિલ સંગમમનો બીજો તબક્કો 30 ડિસેમ્બર 2023 સુધી ચાલુ રહેશે. ગયા વર્ષે, કાશી તમિલ સંગમમના પ્રથમ તબક્કાનું આયોજન 16 નવેમ્બરથી 16 ડિસેમ્બર, 2022 સુધી કરવામાં આવ્યું હતું. લગભગ 1400 (પ્રત્યેક 200 વ્યક્તિઓના 7 જૂથો) લોકો તમિલનાડુના વિવિધ ભાગોમાંથી મુસાફરી કરશે તેવી અપેક્ષા છે, જે જીવનના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. કાશીમાં તેમના પ્રવાસ દરમિયાન, તેમના પ્રવાસ કાર્યક્રમ મુજબ, તેઓ પ્રયાગરાજ અને અયોધ્યાની પણ મુલાકાત લેશે. કાશીમાં તમિલનાડુથી આવેલા પ્રતિનિધિમંડળ માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code