1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મણિનગર, દક્ષિણી ચોક, અને મોઘાણીનગરમાં જાહેર રસ્તાઓ પર ભૂવા પડ્યા,
અમદાવાદમાં મણિનગર, દક્ષિણી ચોક, અને મોઘાણીનગરમાં જાહેર રસ્તાઓ પર ભૂવા પડ્યા,

અમદાવાદમાં મણિનગર, દક્ષિણી ચોક, અને મોઘાણીનગરમાં જાહેર રસ્તાઓ પર ભૂવા પડ્યા,

0
Social Share

અમદાવાદઃ શહેરમાં જાહેર રસ્તાઓ પર ચોમાસા દરમિયાન ભૂવા પડતા હોય છે. પણ હવે તો ગમે ત્યારે ભૂવા પડી રહ્યા છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં પૂર્વ વિસ્તારમાં ત્રણ ભુવા પડ્યા હતા. જેમાં મણિનગર એલજી હોસ્પિટલ રોડ પર અને દક્ષિણી ચોકમાં ભુવો પડ્યો હતો, જ્યારે શુક્રવારે વહેલી સવારે મેઘાણીનગર એફએસએલ ચાર રસ્તા પાસે મોટો ભુવો પડ્યો હતો. એફએસએલ ચાર રસ્તા પાસેનો ભુવો એટલો ભયંકર છે. કે, રોડ પરથી વાહન પસાર થાય તો આખો રોડ બેસી જાય તેમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા તાત્કાલિક ભુવાને કોર્ડન કરી દેવાયો છે. આ સાથે એફએસએલ ચાર રસ્તાથી હોળી ચકલા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. શહેરમાં ચોમાસામાં તો ભૂવા પડતા હોય છે પણ હવે તો ઉનાળામાં પણ ભૂવા પડવા લાગ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં દર મહિને ક્યાંકને ક્યાંક રોડ બેસી જવાની અથવા તો ભુવો પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે મણિનગર અને મેઘાણીનગર વિસ્તારમાં  ત્રણ ભૂવા  પડ્યા હતા. શુક્રવારે વહેલી સવારે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એફએસએલ ચાર રસ્તાથી હોળી ચકલા તરફ જવાના રોડ ઉપર FSL કચેરીના દરવાજાની બહાર જ એક મોટો ભુવો પડ્યો હતો. બહારથી નાનો લાગતો હતો, પરંતુ અંદર એટલો મોટો ભુવો છે કે જો આ રોડ ઉપર સાઈડમાંથી વાહન પસાર થાય તો પણ રોડ બેસી જાય તેમ છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતા તાત્કાલિક ભુવાને બેરીકેડ લગાવી અને કોર્ડન કરી દીધો છે. હોળી ચકલાથી એફએસએલ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હવે ભૂવા પાછળ એએમસી લાકો રૂપિયાનો ખર્ચ કરશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બે દિવસ પહેલાં શહેરના મણિનગર દક્ષિણી ચોકમાં સર્કલ પર જ ભુવો પડ્યો હતો. જેથી તંત્ર દ્વારા ભૂવાની આસપાસ બેરીકેટ લગાવવામાં આવ્યા હતા. 15 દિવસ પહેલાં જ 100 ફૂટના અંતરે હજુ એક ભુવો રિપેર કરવામાં આવ્યો હતો. જેને પંદર દિવસ જ થયા છે ત્યાં ફરી એક વાર નજીકમાં ભુવો પડતા હવે આ વિસ્તારના પાણીની અને ગટરની લાઈનની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે. 15 દિવસમાં આ વિસ્તારમાં બે જગ્યાએ ભુવા પડ્યા હતા. ગઈકાલે શહેરના મણિનગર વિસ્તારમાં જ એલજી હોસ્પિટલના ગેટની સામે જ ભુવો પડ્યો હતો. હોસ્પિટલના દરવાજાની સામે જ ભુવો પડતા તાત્કાલિક તંત્ર દ્વારા ત્યાં બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલ હોવાથી સતત વ્યસ્ત એવા આ રોડ ઉપર ભુવો પડતા તેને તાત્કાલિક રિપેરિંગ કરવાની જરૂરિયાત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code