1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશમાં પરિવારવાદી પાર્ટીના શાસનમાં માફિયાઓનું રાજ હતું : PM મોદી
ઉત્તરપ્રદેશમાં પરિવારવાદી પાર્ટીના શાસનમાં માફિયાઓનું રાજ હતું : PM મોદી

ઉત્તરપ્રદેશમાં પરિવારવાદી પાર્ટીના શાસનમાં માફિયાઓનું રાજ હતું : PM મોદી

0
Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હાલ 11 જિલ્લાની 58 બેઠકો ઉપર આજે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણા માહોલ ચાલી રહ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહારનપુરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. જેમાં વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં પરિવારવાદી પાર્ટીના શાસનમાં માફિયાઓનું રાજ હતું. જ્યારે યોગીના શાસનમાં અનેક વિકાસના કાર્યો થયાં છે. તેમજ ઉત્તરપ્રદેશની જનતા વિકાસ કરનાર સાથે છે.

વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પરિવારવાદી પાર્ટીની સરકારમાં પોતાના તાલુકાઓમાં વિકાસ થયો હતો. તેમજ તેમના અંગત લોકોના વિકાસ થતો હતો. જનતાએ પરિવારવાદી પાર્ટીને નકારી છે. હાલ ઉત્તરપ્રદેશના કાનૂનનું રાજ છે. તેમજ માફિયાઓ જેલમાં બંધ છે. શું માફિયાઓને જેલને બદલે મહેલમાં મોકલવા જોઈએ તેવો સવાલ પણ વડાપ્રધાને કર્યો હતો. ઉત્તરપ્રદેશની જનતા વિકાસ કરનારાઓ સાથે છે. ઉત્તરપ્રદેશને તોફાન મુક્ત બનાવનારની સાથે છે. મહિલાઓને સુરક્ષા આપનાર સાથે છે. ઉત્તરપ્રદેશની જનતાએ પરિવારવાદી પાર્ટીને નકારી છે. ઉત્તરપ્રદેશના કનેક્ટીવીટી વધારવાના સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જો પરિવારવાદી પાર્ટીની સરકાર હોય તો વેક્સિન ના લગાવતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, ભાજપ જે કહે છે તે કરીને બતાવે છે. ભાજપા પોતાના સંકલ્પ પુરા કરે છે. અમે ખેડૂતોની તાકાત વધારીને તેમને આત્મનિર્ભર બનાવવા માંગીએ છીએ. ખેડૂતોને લાભ થાય તેવા પ્રયાસો ઉત્તરપ્રદેશ અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે.

શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને વધારે વળતર આપવામાં આવ્યું છે. તેમજ શેરડીમાંથી ઈથેનોલ બનાવવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણીમાં તાફોના કેસના આરોપીને ટીકીટ આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code