મથુરા ગુંજી ઉઠ્યું નંદ ઘેર આનંદ ભયોના નાદથી, ઘરે-ઘરે લેશે કૃષ્ણ જન્મ, શ્રી કૃ્ષ્ણ જન્માષ્ટમી પર મથુરા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી
- મથુરામાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ
- સીએમ યોગી પણ મથુરાની લેશે મુલાકાત
- ઘરે ઘરે કૃષ્ણ લેશે જન્મ
- કૃ્ષ્ણ નાદથી ગુંજી ઉઠી મથુરા નગરી
દિલ્હીઃ આજે દેશભરમાં જન્માષ્ટમીનો પ્રવ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે થુરામાં પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઘૂમધામથી ઉજવવામાં આવી છે.આજે સોમવારે રાત્રે અહીં દરેક ઘરમાં ભગવાન કૃષ્ણનો જન્મ થશે. આજના ખાસ પર્વ પર બ્રજભૂમિમાં આનંદ છવાયો છે.
મથુરાના જરેક સ્થળોએ આજે બ્રજના લાલનો જયઘોષ થઈ રહ્યો છે. શ્રી કૃષ્ણની જન્મજયંતિ નિહાળવા હજારો ભક્તો મથુરા સવારથી આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જન્માષ્ટમીના દિવસે કાન્હાની મુલાકાત લેવા માટે મથુરા આવી રહ્યા છે. તેમના આગમન માટે જિલ્લા વહીવટીતંત્ર મોડી રાત સુધી તૈયારીઓમાં વ્યસ્ત હતું.
જન્માષ્ટમીના પ્રવ પર કાન્હાના આ શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણના જન્મસ્થળ સહિતના મુખ્ય મંદિરો રવિવારે સાંજે જ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. શહેરના ચોકોને પણ શણગારવામાં આવ્યા છે. રાત્રે વિવિધ સ્થળોએ લીલાનું મંચન કરવામાં આવ્યું હતું, આ ક્રમ આજે પણ ચાલુ રહેશે.
ભગવાન કૃષ્ણનો જન્મ સોમવારે મધરાતે થશે. આ ઉત્સાહમાં ભાગ લેવા માટે હજારો લોકો બ્રજભૂમિમાં આવ્યા છે. કૃષ્ણ જન્મ પહેલાં, મથુરા શહેરમાં સર્વત્ર શ્રી કૃષ્ણ અને રાધારાણીની પ્રશંસા કરવામાં આવી રહી છે. મંદિરોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.
જન્માષ્ટમી પર બ્રજભૂમિના દરેક ઘરમાં શ્રી કૃષ્ણના જન્મની પરંપરા છે. આ દિવસે દરેક ઘરમાં ભગવાનનો જન્મ થાય છે. આ પરંપરા માટે શ્રી કૃષ્ણના જન્મની ઝાંખી તૈયાર કરવામાં આવી રહી છે. ઠાકુર જીનો નવો ડ્રેસ અને પારણું ખરીદવામાં આવ્યું છે, જે તેમના જન્મ પર પહેરવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીનો વૈભવ શહેરના રસ્તાઓ પર સ્પષ્ટપણે દેખાય છે. રાતથી જ ભક્તો રસ્તાઓ પર એકઠા થઈ રહ્યા છે.