1. Home
  2. ગુજરાતી
  3. મિઝોરમ: અમિત શાહ 17 માર્ચે આસામ રાઈફલ્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે,સીએમ જોરમથંગાએ આપી માહિતી  
મિઝોરમ: અમિત શાહ 17 માર્ચે આસામ રાઈફલ્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે,સીએમ જોરમથંગાએ આપી માહિતી  

મિઝોરમ: અમિત શાહ 17 માર્ચે આસામ રાઈફલ્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે,સીએમ જોરમથંગાએ આપી માહિતી  

0
Social Share

આઈજોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 માર્ચે મિઝોરમમાં આસામ રાઈફલ્સ (AR)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી જોરામથંગાએ મંગળવારે આ માહિતી આપી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,શાહ આઈઝોલ નજીક જોખોસાંગ ખાતે એઆર સંકુલનું ઉદ્ઘાટન કરશે.આઈઝોલની મધ્યમાં સ્થિત આસામ રાઈફલ્સના કેમ્પને અહીંથી 15 કિમી દૂર સ્થાનાંતરિત કરવું, નવેમ્બર 2018 માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) ના ટોચના એજન્ડામાં હતો.

ફેબ્રુઆરી 2019 માં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આસામ રાઇફલ્સને આ વર્ષે 31 મે સુધીમાં તેનું મુખ્યાલય જોખોસાંગમાં શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.દેશનું સૌથી જૂનું અર્ધલશ્કરી દળ આસામ રાઈફલ્સના બે કેમ્પ જોડીન અને ખતલામાં ધરાવે છે.જોડીનમાં એક કેમ્પ જોખોસાંગમાં તબદીલ કરવામાં આવી રહ્યો છે.

ગયા વર્ષે નવેમ્બરમાં અમિત શાહ સાથેની બેઠક દરમિયાન, જોરામથંગાએ કેન્દ્રીય ગૃહમંત્રીને જાણ કરી હતી કે રાજ્યની રાજધાનીમાં માળખાકીય પ્રોજેક્ટ્સમાં વિલંબને કારણે આસામ રાઇફલ્સ કેમ્પના સ્થાનાંતરણમાં વિલંબ થઈ રહ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code