1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં સતત વરસાદી વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારોમાં ઝાડા-ઊલટી, તાવ, ટોઈફોડ, ડેન્ગ્યુ સહિતના કેસો વધુ જોવા મળી જોવા મળી રહ્યા છે. જેમાં ઝાડા ઊલટીના કેસો 1100થી વધુ નોંધાયા છે. જુલાઇ મહિનામાં ઝાડા ઊલટીના 1139, ટાઇફોઇડના 451 અને ડેન્ગ્યુના 174 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 166 કેસો છે. કોલેરાના 6 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 81 કેસો નોંધાયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે ઝાડા-ઊલટી, ટાઈફોડ અને ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમિયાન મચ્છરોના બ્રિડિંગ મળી આવતાં કાર્યવાહી કરાય છે.

અમદાવાદ શહેરમાં મ્યનિના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના નાશ માટે ફોગિંગ તેમજ પોરાનો નાશ કરવાની ઝૂંબેશ આદરવામાં આવી છે. જેમાં ચેકિંગ દરમિયાન મચ્છરોના બ્રિડિંગ મળી આવતાં ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલા શિવાલય કોમ્પ્લેક્સને સીલ કરાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કુલ 725 એકમનું ચેકિંગ કરીને 448 એકમોને નોટિસ અપાઈ છે, અને રૂપિયા 9.11 લાખનો દંડ વસૂલ કરાયો છે. મચ્છરોના બ્રિડિંગ મળી આવતા એકમોને રૂપિયા 5,000થી લઈ 60 હજારનો દંડ ફટકારાયો છે. શહેરના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડમાંથી પણ મચ્છરના બ્રિડિંગ મળી આવતા સંચાલન કરતી ખાનગી કંપનીને રૂપિયા 25,000નો દંડ કરાયો છે. આ ઉપરાંત ઇસનપુર પ્રિન્સ કોર્નર, દાણીલીમડા ચંડોળા પેટ્રોલ પંપ, થલતેજ પ્રગતિ હોટલ, થલતેજ શાયોના કન્સ્ટ્રકશન સાઈટ ગેરેજ જગ્યાથી મચ્છરના બિલ્ડિંગ મળી આવતા નોટિસ આપી દંડ કરાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, જુલાઇ મહિનામાં ઝાડા ઊલટીના 1139, ટાઇફોઇડના 451 અને ડેન્ગ્યુના 174 કેસો નોંધાયા હતા. શહેરના દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ઝોનમાં સૌથી વધારે કેસો જોવા મળ્યા છે. ચોમાસાની સીઝન દરમિયાન મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યતા છે જેના પગલે અવેરનેસ કાર્યક્રમો અને ફોગીંગ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રિન્સિપલ કોર્પોરેશનના દરેક અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં લેબોરેટરીના સાધનો અને દવાઓની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

શહેરમાં અખિયાં મિલાકે એટલે કે કન્જકિટવાઈટિસના જે કેસો નોંધાઈ રહ્યા છે. તેમાં થોડો ઘટાડો થયો છે. પહેલા રોજના 50થી 70 કેસો આવતા હતા જે હવે 25થી 30 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં આંખના ટીપા ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં 75 હજાર જેટલા આંખના ટીપા અર્બન હેલ્થ સેન્ટર ઉપર આપવામાં આવ્યા છે. જે પણ દર્દીને આંખ આવી હોય તો તેઓ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આંખના ટીપા મેળવી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code