1. Home
  2. ગુજરાતી
  3. અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસ હટાવાયો, બાળકો પરનો બોજ ઓછો કરવા પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરાઈઃ NCERT
અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસ હટાવાયો, બાળકો પરનો બોજ ઓછો કરવા પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરાઈઃ NCERT

અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસ હટાવાયો, બાળકો પરનો બોજ ઓછો કરવા પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરાઈઃ NCERT

0
Social Share

લખનૌઃ યુપીમાં ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસના પ્રકરણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NCERTએ ઈતિહાસના પુસ્તકમાંથી મુગલ દરબાર અને શાસક પ્રકરણ હટાવી દીધું છે. આ સિવાય 11મા ધોરણમાંથી કેટલાક ચેપ્ટર પણ હટાવવામાં આવ્યા છે. હવે NCERT ચીફે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, બાળકો પરનો બોજ ઓછો કરવાનો હતો તેથી પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરવામાં આવી છે.

NCERT ચીફ દિનેશ પ્રસાદ સકલાનીએ કહ્યું કે, અભ્યાસક્રમમાંથી મુઘલોને હટાવવામાં આવ્યા નથી. કોવિડ પછી, અભ્યાસક્રમ ઘટાડવાની પ્રક્રિયા શરૂ થઈ, જેથી બાળકો પરનો ભાર ઓછો થઈ શકે. નિષ્ણાતોએ અભ્યાસક્રમ ઘટાડ્યો અને બીજું કંઈ નહીં કર્યું. નિષ્ણાતોએ ધોરણ 6 થી 12 સુધીની બિનજરૂરી લોડ બસ દૂર કરી છે.

બીજી તરફ 12મા ધોરણમાં મુઘલો પરના પ્રકરણને હટાવવા પર દિનેશ સકલાણીએ કહ્યું કે 12મા ધોરણમાં પણ મુઘલોનો અભ્યાસ ચાલુ રહેશે. બસ કામનો બોજ થોડો ઓછો થયો છે. જે બાબતોનું પુનરાવર્તન થયું છે તેને જ સાઈડલાઈન કરવામાં આવ્યું છે. મુઘલોની નીતિ જેવી મહત્વની બાબતો રાખવામાં આવી છે. ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી રહી નથી. બે પ્રકરણને બદલે માત્ર એક પ્રકરણ ભણાવતા હોય છે, પણ કમ સે કમ તેઓ ભણાવતા હોય છે.

NCERTના ધોરણ 12માના પુસ્તક ‘થીમ્સ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી 2’ના પ્રકરણ ‘કિંગ્સ એન્ડ ક્રોનિકલ્સઃ ધ મુગલ કોર્ટ’ને અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ 11મા ધોરણના પુસ્તક થીમ્સ ઇન વર્લ્ડ હિસ્ટ્રીમાંથી ‘સેન્ટ્રલ ઈસ્લામિક લેન્ડ્સ’, ‘કન્ફ્રન્ટેશન ઓફ કલ્ચર્સ’ અને ‘ધ ઈસ્લામિક રિવોલ્યુશન’ને પણ દૂર કરવામાં આવશે.

જાણીતા ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબે NCERT પુસ્તકોમાંથી મુઘલોના પ્રકરણો હટાવવા પર કહ્યું છે કે, આમ કરવાથી 200 વર્ષના ઈતિહાસનું જ્ઞાન શૂન્ય થઈ જશે. જો મુઘલોનો ઈતિહાસ નહીં હોય તો તાજમહેલ પણ નહીં હોય. ઈરફાન હબીબે જણાવ્યું હતું કે, યુજીસીએ બીએ માટેનો અભ્યાસક્રમ પણ તૈયાર કર્યો હતો. તેમાં અકબરને ઈતિહાસમાંથી કાઢી નાખ્યો. આ તો એક વાત ચાલી રહી હતી, હવે ભારતના ઈતિહાસમાંથી મુઘલોનો ઈતિહાસ કાઢી નાખો તો આપણને 200 વર્ષ વિશે કંઈ જ ખબર નહીં પડે. જો મુઘલોનો ઈતિહાસ નહીં હોય તો તાજમહેલ પણ નહીં હોય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code