Homeગુજરાતીકેરળમાં વરસાદનો પ્રકોપ: 9નાં મોત, 12 લોકો લાપતા, અલર્ટ જાહેર

કેરળમાં વરસાદનો પ્રકોપ: 9નાં મોત, 12 લોકો લાપતા, અલર્ટ જાહેર

  • કેરળમાં ભારે વરસાદને કારણે તબાહી
  • વરસાદને કારણે 9 લોકોનાં મોત
  • તે ઉપરાંત 12 લોકો લાપતા

નવી દિલ્હી: કેરળ અત્યારે કુદરતી આપત્તિ સામે ઝઝુમી રહ્યું છે. કેરળમાં મૂશળધાર વરસાદને કારણે કેરળમાં 9 લોકોનાં મોત થયા છે જ્યારે 12 લોકો લાપતા છે. વરસાદને કારણ જનજીવન પ્રભાવિત થયું છે. કુટ્ટીક્કલ, કોટ્ટયમ, ઇડુક્કી અને કોક્કયર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત છે.

આ અંગે કેરળ સરકારના મંત્રી વીએન વાસવાને જણાવ્યું હતું કે, ભૂસ્ખલન થયું જેમાં 3 લોકોનાં મોત થયા, સરકાર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. સરકાર સંપૂર્ણપણે એલર્ટ છે. 12 લોકો ગૂમ થયા હોવાનો અહેવાલ છે.

ભારતીય હવામાન ખાતાએ શનિવારે કેરળના 5 જીલ્લામાં રેડ અલર્ટ બહાર પાડ્યું. જ્યારે 7 જીલ્લામાં ઓરેન્જ અલર્ટ તેમજ 2 જીલ્લામાં યલ્લો અલર્ટ જાહેર કર્યું છે.

હાલમાં કેરળમાં બચાવ કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમની 11, સેનાની બે અને ડિફેન્સ સર્વિસ કોર્પ્સની બે ટીમો તૈનાત કરવામાં આવી છે.

 

સંબંધિત લેખો

Most Popular