- પીએમ મોદી અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન થઇ શકે સામેલ
- તેઓ ધનતેરસના દિવસે ત્યાં પહોંચશે તેવી સંભાવના
- આગામી વિધાનસભા ચૂંટણીને લઇને આ મુલાકાત મહત્વની
નવી દિલ્હી: પીએમ મોદી દિવાળી દરમિયાન અયોધ્યા જઇ શકે છે. દર વર્ષે અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ યોજાય છે તેમાં સામેલ થવા તે જઇ શકે છે.
પીએમ મોદી દિવાળી દરમિયાન અયોધ્યા જઇ શકે છે અને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા પીએમ મોદીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પીએમ મોદીના અયોધ્યાના પ્રવાસમાં કેટલાક વધારે કાર્યક્રમ હશે. પીએમ મોદી દીપોત્સવના દિવસે જ અયોધ્યામાં રહેશે. દીપોત્સવના કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, અનેક કેન્દ્રીય મંત્રી અને યૂપી સરકારના કાબીના મંત્રી સામેલ હશે.
જો કે પીએમ મોદી અયોધ્યામાં કઇ તારીખે પહોંચશે તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ નથી. આ વખતે દિવાળી 4 નવેમ્બરે છે અને દિવાળીનો કાર્યક્રમ ધનતેરસથી એટલે કે 2 નવેમ્બરથી શરૂ થશે. તેવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે, પીએમ, ધનતેરસના દિવસે અયોધ્યા આવશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર અયોધ્યાને લઇને સતત રિપોર્ટસ લઇ રહ્યા છે. વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો અયોધ્યા આ સમયે રાજનીતિક દળોના એજન્ડામાં કહી શકાય. એક તરફ બસપાએ પ્રબુદ્વ સંમેલન ત્યાંથી શરૂ કર્યું તો ઔવેસી પણ અયોધ્યા ગયા હતા. રાજા ભૈયાએ પણ અયોધ્યાથી શરૂઆત કરી અને હવે ભાજપ પણ ત્યાં પ્લાનિંગ કરી રહ્યું છે.
નોંધનીય છે કે વર્ષ 2017ની માર્ચમાં યુપીમાં ભાજપની સરકાર બાદ ત્યાં દીપોત્સવની પરંપરા શરૂ થઇ છે. દર વર્ષે દીપાવલીના 2 દિવસ પહેલા એટલે કે ધનતેરસના દીપોત્સવનો પ્રાંરભ થાય છે. હાલમાં જ અયોધ્યા નગર નિગમે મહાપૌર ઋષિકેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ વખતે દીપોત્સવમાં 7 લાખ 50 હજાર દિપક પ્રજવલિત થશે. એકવાર ફરી અવધ યુનિ.ના 7500 સ્વયંસેવકો સાડા સાત લાખ દિવા પ્રગટાવી પોતાનો રેકોર્ડ ફરી તોડવા પ્રયાસ કરશે.