1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીએ મન કી બાત કાર્યક્રમ સંબોધિત કર્યો, સ્વચ્છતા અભિયાનને લઇને આ નિવેદન આપ્યું
PM મોદીએ મન કી બાત કાર્યક્રમ સંબોધિત કર્યો, સ્વચ્છતા અભિયાનને લઇને આ નિવેદન આપ્યું

PM મોદીએ મન કી બાત કાર્યક્રમ સંબોધિત કર્યો, સ્વચ્છતા અભિયાનને લઇને આ નિવેદન આપ્યું

0
Social Share
  • પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ સંબોધિત કર્યો
  • પીએમ મોદીએ મેજર ધ્યાનચંદને પણ શ્રદ્વાંજલિ આપી
  • સ્વચ્છ ભારત અભિયાનનો સંકલ્પ આપણે મંદ નથી પડવા દેવાનો

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે મેજર ધ્યાનચંદના જન્મદિવસને લઇને તેમને શ્રદ્વાંજલિ આપી હતી.

ઑગસ્ટ મહિનાના અંતિમ રવિવારે પીએણ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે હૉકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસને યાદ કર્યો અને કહ્યું કે, મેજર ધ્યાનચંદે આજે જ્યાં પણ હશે તેમની પ્રશંસાને લઇને તેમની આત્માને ઘણી પ્રસન્નતા મળતી હશે. ઉપરાંત તેમણે મેજર ધ્યાનચંદને શ્રદ્વાંજલિ પણ આપી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશના યુવાનો આપણા દિકરા-દિકરીઓમાં રમતને લઇને આકર્ષિત થઇ રહ્યા છે. સાથે જ બાળકો રમતમાં આગળ વધે તો માતા પિતાને પણ ખુશી થતી હોય છે. જે બાબત મેજર ધ્યાનચંદ માટે મોટી શ્રદ્વાંજલિ આપણે ગણી શકીએ.

વધુમાં તેમણે સ્વચ્છ ભારતનો સંકલ્પ યાદ કરતા કહ્યું કે આજે આપણો દેશ આઝાદીનો અમૃત મનાવી રહ્યો છે. પરંતુ સ્વચ્છ ભારત અભિયાનનો સંકલ્પ આપણે મંદ નથી પડવા દેવાનો. સાથેજ તેમણે કહ્યું કે જેટલા શહેરો Water Plus City હશે તેટલી સ્વચ્છતા વધશે અને આપણી નદીઓ પણ સાફ રહશે.

આજના યુવાનો રસ્તા પર ચાલવા નથી માંગતા પરંતુ નવા રસ્તા બનાવવા માગે છે. મંજિલ પણ નવી છે. લક્ષ્ય પણ નવું છે. એક વખત જો યુવાન કોઇપણ બાબતે મક્કમ નિર્ધાર કરી લે તો તે વસ્તુને પૂરી કરવા તે પોતાના અથાગ પ્રયાસો કરતા હોય છે.

જન્માષ્ટમીના પર્વ પર પીએમ મોદીએ કહ્યું કે, આપણે ભગવાનના ઘણા રૂપોથી પરિચીત છીએ. નટખટ શ્રીકૃષ્ણથી લઇને વિરાટ રૂપ ધારણ કરવા વાળા શ્રીકૃષ્ણ, શાસ્ત્રથી સામર્થ્ય સુધીના રૂપથી આપણે પરિચીત છીએ. આ બાદ તેમણે દેશવાસીઓને જન્માષ્ટમીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code