1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોવિડથી મૃત્યુ પામનારા પરિવારજનોને વળતર અંગે સુપ્રીમમાં થઇ સુનાવણી, કોર્ટે સરકારને મોકલી આ નોટિસ

કોવિડથી મૃત્યુ પામનારા પરિવારજનોને વળતર અંગે સુપ્રીમમાં થઇ સુનાવણી, કોર્ટે સરકારને મોકલી આ નોટિસ

0
Social Share
  • કોરોના વાયરસથી મૃત્યુ પામનારાના પરિવારજનોને વળતર અંગે સુપ્રીમમાં થઇ સુનાવણી
  • કોર્ટે સરકારને નોટિસ મોકલી કે શું કોરોનાથી પીડિત લોકો માટે કોઇ એક સમાન પોલિસી છે કે નહીં
  • કોર્ટે એક સમાન પોલિસી અંગે સરકાર પાસે જવાબ માંગ્યો છે

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ પામનારના પરિવારજનોને 4 લાખ રૂપિયાની ગ્રેસ રકમ આપવાની વિનંતી કરતી જનહિતની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી હતી. કોર્ટે નોટિસ મોકલીને સરકારને સવાલ કર્યો હતો કે શું કોરોનાથી પીડિત લોકો માટે કોઇ એક સમાન પોલિસી છે કે નહીં.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મુદ્દે નોટિસ મોકલીને 10 દિવસની અંદર જવાબ માંગ્યો છે. આ જનહિત અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે કોર્ટ રાજ્ય સરકારોને નિર્દેશ આપે કે મૃત્યુના પ્રમાણપત્રમાં કે અન્ય સત્તાવાર દસ્તાવેજોમાં મૃત્યુના કારણ તરીકે કોરોના વાયરસ નોંધવામાં આવે.

સુનાવણી દરમિયાન કેન્દ્રને કોવિડ-19થી મરનારા લોકોના મૃત્યુના પ્રમાણપત્ર જાહેર કરવા અંગેના આઈસીએમઆરના દિશા-નિર્દેશોની જાણકારી ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

પીઠે જણાવ્યું કે, જ્યાં સુધી કોઈ સત્તાવાર દસ્તાવેજ કે મૃત્યુનું પ્રમાણપત્ર જાહેર કરવા એક સમાન નીતિ નહીં હોય જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે મૃત્યુનું કારણ કોવિડ હતું ત્યાં સુધી મૃતકના પરિવારજનો જો કોઈ એવી યોજના હોય તો તે અંતર્ગત વળતરનો દાવો નહીં કરી શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code