1. Home
  2. ગુજરાતી
  3. સિદ્વાર્થ શુક્લાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન, બ્રહ્મકુમારી રીતિ રિવાજથી થયા અંતિમ સંસ્કાર
સિદ્વાર્થ શુક્લાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન, બ્રહ્મકુમારી રીતિ રિવાજથી થયા અંતિમ સંસ્કાર

સિદ્વાર્થ શુક્લાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન, બ્રહ્મકુમારી રીતિ રિવાજથી થયા અંતિમ સંસ્કાર

0
Social Share
  • સિદ્વાર્થ શુક્લાના પાર્થિવ દેહને મુખાગ્ની અપાઇ
  • આ સાથે જ તેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
  • તેના અંતિમ દર્શન માટે મોટા પાયે કલાકારોનો જમાવડો થયો

મુંબઇ: સિદ્વાર્થ શુક્લાના પાર્થિવ દેહને મુખાગ્ની આપવામાં આવી છે. આ સાથે જ તેનો પાર્થિવ દેહ પંચ મહાભૂતોમાં વિલીન થઇ ગયો છે. સિદ્વાર્થના અણધાર્યા નિધનથી સમગ્ર બોલિવૂડ અને ટીવી જગત શોકમય છે. આજે ઓશિવારા સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 40 વર્ષની વયે ટીવી અને બોલિવૂડ એક્ટર સિદ્વાર્થ શુક્લાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.

આપને જણાવી દઇએ કે સિદ્વાર્થ શુક્લાના અંતિમ દર્શન માટે બોલિવૂડ અને ટીવી કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. શહનાઝ ગિલ, અર્જુન બિજલાની, રશ્મી દેસાઇ, રાખી સાવંત સહિતના કલાકારો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. ખાસ કરીને શહનાઝ ગિલ અને સિદ્વાર્થના માતાને ખૂબ જ આઘાત લાગ્યો છે. બંનેની હાલ હૈયાફાટ રૂદનથી વધુ બગડી છે.

સિદ્વાર્થ શુકલા આમ તો બાલિક વધુથી દરેક ઘરમાં ફેમસ થયા હતા પરંતુ બિગ બોસ 13ના વિજેતા બન્યા હતા તેની લોકપ્રિયતા રાતોરાત વધી ગઇ હતી. તેના ફેન ફોલોવિંની સંખ્યા રાતોરાત વધી ગઇ હતી. જણાવી દઈએ કે તેમની ફેમિલીમાં માતા અને બે મોટી બહેનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code