- કેબિનેટ નિર્ણય પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન
- સરકાર એક મોડેલ નેટવર્ક પ્લાનિંગ બોડી બનાવશે
- તેની દેખરેખ વાણિજ્ય મંત્રાલય કરશે
એક તરફ પીએમ મોદીએ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધારીને મોટી દિવાળી ગિફ્ટ આપી છે તો બીજી તરફ કેબિનેટે ગતિ શક્તિ યોજના પર મોટો નિર્ણય લીધો છે. કેબિનેટના નિર્ણયો અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, એક મોડેલ નેટવર્ક પ્લાનિંગ બોડી બનાવવામાં આવશે અને તેનું સંકલન વાણિજ્ય મંત્રાલય કરશે.
Cabinet nod for #PMGatiShakti – National Master Plan
✔️3 – tier Monitoring system; to be chaired by Cabinet Secretary
✔️Empowered Group of Secretaries to be created – with Secretaries of 18 Ministries and Heads of Logistics division: Union Minister @ianuragthakur pic.twitter.com/rXpY1UBiTL
— PIB India (@PIB_India) October 21, 2021
આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કર્મો અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તે જ સમયે, કેન્દ્રીય કેબિનેટે આર્થિક ઝોન માટે મલ્ટી-મોડલ-કનેક્ટિવિટી માટે પીએમ ગતિ શક્તિ-નેશનલ માસ્ટર પ્લાનને પણ લીલી ઝંડી આપી છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી ખાસ કરીને કેન્દ્રના 47.14 લાખ કર્મચારીઓ તેમજ 68.62 લાખથી વધુ પેન્શનરો લાભ થશે. આ નિર્ણયથી સરકાર પર 9488 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.