1. Home
  2. ગુજરાતી
  3. આ કારણોસર દેશ વીજ સંકટના આરે ઉભો છે, જાણો કારણ
આ કારણોસર દેશ વીજ સંકટના આરે ઉભો છે, જાણો કારણ

આ કારણોસર દેશ વીજ સંકટના આરે ઉભો છે, જાણો કારણ

0
Social Share
  • ભારત વીજ સંકટના ઉંબરે ઉભુ છે
  • અનેક રાજ્યોમાં અંધારપટનો ભય
  • દેસમાં 135 કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટમાંથી અડધાથી વધુ પાસે માત્ર 2-4 દિવસનો કોલસો જ બાકી

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોલસાની અછતને કારણે વીજ સંકટ ઉપસ્થિત થયું છે. દેસમાં 135 કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટમાંથી અડધાથી વધુ પાસે માત્ર 2-4 દિવસનો કોલસો જ બાકી છે. ભારત જેવા દેશમાં 70 ટકા વીજળી કોલસામાંથી ઉત્પન્ન થાય છે ત્યારે કોલસાની અછતનો સીધો અર્થ અંધારપટ તરફ જાય છે. તહેવારોની સીઝન દરમિયાન જ વીજ સંકટના ભણકારા છે.

વીજ સંકટ ઉપસ્થિત થવાના કારણો પર નજર કરીએ તો, કોરોના મહામારીની બીજી લહેરનો કહેર ઘટતા ભારતમાં અચાનક વીજ માંગ વધી છે. માત્ર છેલ્લા બે મહિનામાં 2019ના સમાન સમયગાળાની સરખામણે વીજળીના ઉપયોગમાં લગભગ 17 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક કોલસાના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. જેનાથી ભારતની કોલસાની આયાતને બે વર્ષના નીચલા સ્તર પર લાવે છે.

દેશમાં 135 કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટ્સમાંથી અડધાથી વધુમાં સપ્ટેમ્બરના અંતે માત્ર ચાર દિવસનો જ કોલસાનો સ્ટોક હતો. જ્યારે ઑગસ્ટની શરૂઆતમાં તે 13 દિવસની સરેરાશ હતી. વર્તમાન કોલસા સંકટનો સામનો કરવો એશિયાની ત્રીજી સૌથી મોટા અર્થતંત્રનો પડકાર છે.

કોલસાની અછતને કારણે ઘણા પાવર પ્લાન્ટમાં ઉત્પાદન બંધ થઈ ગયું છે. તેનું પરિણામ કેટલાક રાજ્યોમાં પણ અનુભવાઈ રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વીજ કંપની તરફથી પણ કોલસાની અછતને કારણે કેટલાક કલાકો માટે વીજ કાપ માટે તૈયાર રહેવા માટે ગ્રાહકોના સંદેશા આવવા લાગ્યા છે. કેટલાક રાજ્યોમાં અઘોષિત વીજ કાપ શરૂ થઈ ચૂક્યો છે અને જો સંકટ દૂર નહીં થાય તો અન્ય રાજ્યોમાં પણ આ સ્થિતિ ટૂંક સમયમાં આવવાની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code