- જમ્મુ કાશ્મીરમાં કુદરતી પ્રકોપ
- ભારે વરસાદના કારણે 4 ના મોત
- કિશ્તવાડમાં કુદરતી કહેર
શ્રીનગઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં વાદળ ફાટવાની ધટનાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે અને ઓછામાં ઓછા 30-40 લોકો લાપતા થયાના સમાચાર મળ્યા છે.અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે આજરોજ બુધવારે વહેલી તકે જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડ જિલ્લાના હોંજાર ગામમાં વાદળ ફાટ્યા બાદ ઓછામાં ઓછા ચાર મૃતદેહો મળી આવ્યા હતા અને ઘણા લોકો આ દુર્ઘટનામાં ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ રેસ્કયુ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આજે બુધવારે સવારે 4 વાગ્યાની આસપાસ કિશ્તવાડ જિલ્લાના ડચ્ચન વિસ્તારના હોંજર ગામમાં એક વાદળ ફાટ્યું હતું. જેમાં 28 લોકો ગુમ થયાના સમાચાર છે. શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.આ મામલે ચોક્કસ માહિતી મળી નથી કારણ કે આ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિટીવી પણ નથી.
કિશ્તવાડ જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે કાટમાળમાંથી અમે ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અમારું માનવું છે કે ગામમાં 30 થી 40 લોકો હતા જ્યારે આ ઘટના બની. કિશ્તવાડ શહેર જમ્મુથી આશરે 200 કિમી દૂર આવેલું છે અને ડચ્ચન કિશ્તવાડ જિલ્લામાં એક દૂરસ્થ અને પર્વતીય ક્ષેત્ર છે.
ઉલિલેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જુલાઈના અંત સુધીમાં વધુ વરસાદની સંઙાવનાઓ છે, કિશ્તવાડના અધિકારીઓએ જળ સંસ્થાઓ અને નીચાણવાળઆ વિસ્તારોમાં રહેતા લોકોને સચેત રહેવા જણાવ્યું છે. મંગળવારે રાત્રે જારી કરવામાં આવેલી એક સલાહકારમાં જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે, જે નદીઓ અને નદીઓના પાણીના સ્તરમાં વધારો કરી શકે છે અને તેની નજીકના લોકો માટે જોખમ છે.