ભારે વરસાદથી વલસાડ જીલ્લામાં ઓરંગા નદી બન્ને કાઠે વહેતી થઈ , નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા NDRFની ટીમ તૈનાત
- ભારેવરસાદથી વલસાડ જીલ્લામાં ઓરંગા નદી એ જળ સપાટી વટાવી
- નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
- બચાવ કાર્ય માટે NDRFની ટીમ તૈનાત
અમદાવાદ – છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી અહી વરસાદ શરુ જ છે,છેલ્લા કેટલાક દિવસોથી વરસતા વરસાદના કારણે અહીની અનેક નાની મોટી નદીઓ જળસપાટી વટાવી ચૂકી છે,જેમાં ખાસ કરીને વલસાડ જીલ્લાની ઓરંગા નહીના પાણી આસપાસના વિસ્તારોમાં ફળી વળ્યો છે.
વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જોડતો નો પુલ પાણીમાં ડૂબ્યો હતો જેને પગલે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે
નદીનું પાણી ફરી વળતા લોકોના જનજીવન પર માઠી અસર પડી રહી છે,.સાથે જ એનડીઆરએફની ટીમો પણ બચાવ કાર્ય માટે તૈનાત કરાઈ છે.જનજીવનને ભારે અસર પહોંચી છે.વસલાડ શહેરના કશ્મીર નગર તળિયાવાડ, લીલાપોર, બંદર રોડ જેવા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ઘધુસી ગયા છે. જેના કારણે હાલ NDRFની ટિમો બચાવ કાનમગીરી કરવામાંઆવી રહી છે.
વલસાડ શહેરમાં 70થી વધુ લોકોને એનડીઆરએફ એ રેસ્કયુ કરીને બચાવ્યા હતા. જ્યારે 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.લોકોને પાણી વાળા વનિલ્તારમાંથી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છેય
જો આજની વાત કરીએ તો સવારથી અત્યાર સુધીમાં 70 તાલુકામાં અતિભારે વરસાદનો કહેર જોવા મળ્યો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજે 6 કલાકમાં જ 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે સતત વરસતા ધોધમાર વરસાદથી વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.