1. Home
  2. ગુજરાતી
  3. NIAની ખાલિસ્તાની નેટવર્ક સામે લાલઆંખ પંજાબ-હરિયાણામાં 15 સ્થળો પર પડ્યા દરોડા
NIAની ખાલિસ્તાની નેટવર્ક સામે લાલઆંખ પંજાબ-હરિયાણામાં 15 સ્થળો પર પડ્યા દરોડા

NIAની ખાલિસ્તાની નેટવર્ક સામે લાલઆંખ પંજાબ-હરિયાણામાં 15 સ્થળો પર પડ્યા દરોડા

0
Social Share

દિલ્હી –  રાષ્ટ્રીય તપાસ એજન્સી ખાલિસ્તાની નેટવર્કને નષ્ટ કરવા માટે એક્શન મોડમાં છે અને આ માટે સતત કાર્યવાહી કરી રહી છે. બુધવારે સવારે NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

NIAએ પંજાબ-હરિયાણામાં લગભગ 15 અલગ-અલગ જગ્યાએ દરોડા પાડ્યા છે.  આ કાર્યવાહી ખાલિસ્તાની નેટવર્કની તપાસ માટે કરવામાં આવી રહી છે. અગાઉ NIAએ ઘણા રાજ્યોમાં ખાલિસ્તાની નેટવર્કના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા.

આ મામલે એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું કે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં વિરોધ અને હંગામાના મામલાના સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પન્નુની ધમકીના મામલામાં પણ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં NIAએ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ સામે કાર્યવાહી કરતી વખતે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન લગભગ 6 રાજ્યોમાં 51 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડા અને ભારત વચ્ચેના તણાવના સમયે આ દરોડો પાડવામાં આવ્યો હતો.

દિલ્હીમાં, લગભગ બે મહિના પહેલા, દિલ્હી પોલીસની વિશેષ ટીમે ફ્લાયઓવર પર ખાલિસ્તા તરફી પોસ્ટર મળવાના સંબંધમાં હરિયાણાના એક યુવકની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અટકાયત કરાયેલા યુવક વિશે એવી શંકા છે કે તેણે ગુરપતવંત સિંહના કહેવા પર દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આવા પોસ્ટર બનાવ્યા હતા.

ઉલ્લેખનીય છે  કે તાજેતરમાં NIAએ શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા લોકોને ધમકી આપતો વીડિયો જાહેર કરવાના સંદર્ભમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તાએ કહ્યું હતું કે આ કેસ ભારતીય દંડ સંહિતા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ  એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો હતો.

ગેરકાયદેસર સંગઠન SFJ સાથે સંકળાયેલા પન્નુએ 4 નવેમ્બરના રોજ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા વીડિયો મેસેજ જાહેર કર્યા હતા. આ સંદેશાઓમાં, પન્નુએ શીખોને 19 નવેમ્બર અને ત્યાર બાદ એર ઈન્ડિયાના વિમાનોમાં ન ઉડવાનું કહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે મુસાફરોનો જીવ જોખમમાં છે. આ ભાગેડુ આતંકવાદીએ એવી ધમકી પણ આપી હતી કે એર ઈન્ડિયાને વૈશ્વિક સ્તરે ચલાવવા દેવામાં આવશે નહીં. આ પછી, હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું અને કેનેડા, ભારત અને અન્ય દેશો જ્યાં એર ઈન્ડિયા તેના વિમાનનું સંચાલન કરે છે ત્યાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code