1. Home
  2. ગુજરાતી
  3. UP ના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ: અખિલેશની SP માં ટૂંક સમયમાં ભંગાણનો ઓમપ્રકાશ રાજભરનો દાવો
UP ના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ: અખિલેશની SP માં ટૂંક સમયમાં ભંગાણનો ઓમપ્રકાશ રાજભરનો દાવો

UP ના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ: અખિલેશની SP માં ટૂંક સમયમાં ભંગાણનો ઓમપ્રકાશ રાજભરનો દાવો

0
Social Share

લખનૌ, 17 જૂન 2026: ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા)ના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટી (સપા) પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો છે કે, રાજ્યના રાજકારણમાં ટૂંક સમયમાં જ એક બહુ મોટો બળવો અથવા ભંગાણ જોવા મળી શકે છે. તેમણે મહારાષ્ટ્રના તાજેતરના રાજકીય ઘાટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “હવે આગામી નંબર ઉત્તર પ્રદેશનો છે, કારણ કે જ્યારે કોઈ વેચાવા માટે તૈયાર હોય, ત્યારે જ તેને ખરીદવામાં આવે છે.”

રાજભરે સપાના વરિષ્ઠ નેતા પ્રોફેસર રામગોપાલ યાદવ પર સીધું નિશાન સાધ્યું છે. તેમણે સનસનાટીપૂર્ણ દાવો કરતા કહ્યું કે, રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક ગુપ્ત પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેમણે કેટલાક નામો આપીને તેમને પોતાની સાથે સામેલ કરવા અને પોતાને સુરક્ષિત રાખવાની વિનંતી કરી છે. રાજભરના આ દાવા બાદ યુપીના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

બીજી તરફ, ભ્રષ્ટાચારના મુદ્દે સપા પ્રમુખ અખિલેશ યાદવને ઘેરતા મંત્રી રાજભરે જણાવ્યું હતું કે, સીબીઆઈએ ગેરકાયદેસર ખનન કેસમાં અખિલેશ યાદવનું નામ નોંધ્યું છે. આ સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ગોમતી રિવરફ્રન્ટ કૌભાંડમાં હજુ સુધી કોઈ જેલ ભેગું કેમ નથી થયું? આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ઓમપ્રકાશ રાજભરના આ વિસ્ફોટક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારાઓમાં ભારે હલચલ મચી ગઈ છે અને આગામી દિવસોમાં રાજકીય સમીકરણો બદલાય તેવા સંકેતો મળી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code