1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીના બયાન પર કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું ‘અમે મણીપુરની વાત કરી રહ્યા છીએ અને તેઓ ઈસ્ટ ઈન્ડિયાની ‘
પીએમ મોદીના બયાન પર કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું ‘અમે મણીપુરની વાત કરી રહ્યા છીએ અને તેઓ ઈસ્ટ ઈન્ડિયાની ‘

પીએમ મોદીના બયાન પર કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું ‘અમે મણીપુરની વાત કરી રહ્યા છીએ અને તેઓ ઈસ્ટ ઈન્ડિયાની ‘

0
Social Share

દિલ્હીઃ- સંસદમાં આજે મણીપુર હિંસાનો મુ્દો વિપક્ષ દ્રારા ઉઠાવવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્રારા કરવનામાં આવેલ હોબાળેને લઈને  તમામ રાજ્યોમાં ગૃહની કાર્યવાહી થોડા કલાકો માટે સ્થગિત પણ કરવી પડી હતી. બાદમાં જ્યારે રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મણિપુર હિંસા અંગે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં હિંસા અંગે સંસદમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ચોમાસુ સત્રના પ્રથમ ત્રણ દિવસ હોબાળોથી ભરેલા રહ્યા છે. આજે ચોથો દિવસ છે અને હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. 
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં મણિપુરની સ્થિતિ વિશે વિગતવાર નિવેદન આપવું જોઈએ અને દેશને વિશ્વાસમાં લેવું જોઈએ. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અહીં આપણે મણિપુર હિંસા અને પીએમ મોદી ઈસ્ટ ઈન્ડિયા કંપની વિશે વાત કરી રહ્યા છીએ. ખડગેએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી મણિપુર પર બોલે. ખડગેએ કહ્યું કે મણિપુરમાં જે થયું છે તે આ સરહદી રાજ્ય માટે સારું નથી.

પ્રાપ્ત વિગત પ્રમાણે કોંગ્રેસ નેતા ખડગે એ પીએમ મોદી પર નિશાન સાધતા  કહ્યું કે અહીં અમે  મણિપુર હિંસાની વાત કરી રહ્યા છીએ તો પીએમ મોદી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પીએમ મોદીની વાત કરી રહ્યા છીએ.ઉલ્લેખનીય છે કે આજે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ ભાજપની સંસદીય દળની બેઠકમાં વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે મેં આજ સુધી આવો દિશાવિહીન વિરોધ ક્યારેય જોયો નથી. તેઓએ વિપક્ષ ભારત દ્વારા રચાયેલા ગઠબંધન અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે માત્ર ગઠબંધનનું નામ ભારત લખવાથી કંઈ થતું નથી. હકીકતમાં, ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તેના નામમાં ભારત પણ ઉમેર્યું હતું. એ જ રીતે ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ભારત છે ,પીએમ મોદીની આ વાત બાદ કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે મણીપુર હિંસા વિશે કહી રહ્યા છે જ્યારે પીએમ મોદી ઈસ્ટ ઈન્ડિય.ાની વાતો કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code