1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ, અંબાજી, અને ચાટિલામાં મા ચામુંડાના દર્શ માટે લોકોની ભીડ ઉમટી
નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ, અંબાજી, અને ચાટિલામાં મા ચામુંડાના દર્શ માટે લોકોની ભીડ ઉમટી

નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ, અંબાજી, અને ચાટિલામાં મા ચામુંડાના દર્શ માટે લોકોની ભીડ ઉમટી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિના પ્રારંભ સાથે શક્તિપાઠ ગણાતા પાવાગઢ, અંબાજી, બહુચરાજી, અને ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. નવરાત્રિમાં શક્તિની આરાધનાનો મહિમા અનેરો છે. અમદાવાદમાં વહેલી સવારથી ભદ્રકાલી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નવરાત્રીના નવ દિવસ માતાજીને ખાસ રંગીન વસ્ત્રોનો શણગાર કરવામાં આવશે. જેમાં સિંહ, હંસ, નંદી સહિત વિવિધ સવારીનો શણગાર કરવામાં આવશે.

ગુજરાતમાં નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ઠેરઠેર ગરબાના આયોજનો કરાયા છે. નવરાત્રિમાં શક્તિપીઠનો મહિમા વિશેષ છે. રાજ્યમાં વિવિધ શક્તિપીઠોમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે.પાવગઢની પાવન ધરી પર પ્રથમ નોરતે શક્તિપીઠ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે. વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ માતાજીના જયઘોષથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. લોકો મહાકાળીમાતાના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે.

યાત્રાધામ અંબાજી, પાવાગઢ સહિત મંદિરોમાં માતાજીના દર્શન માટે પરપ્રાંતમાંથી પણ પ્રથમ નોરતે પદયાત્રીઓ અને ભક્તો રાત્રે જ આવી પહોંચ્યા હતા. ભક્તોની સુવિધા ધ્યાનમાં રાખી રોપ વે સેવા પણ સવારે 4 વાગે શરૂ કરી દેવાઈ છે. આ સાથે બીજી પણ બાબતો અને સુરક્ષાનું ધ્યાન રાખતા વિવિધ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. પાવાગઢએ 51 શક્તિપીઠોમાનું એક ગણાય છે. જેનો મહિમા પણ અનેરો માનવામાં આવે છે. જેથી લોકો દૂર દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે.

સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રિમાં શક્તિની આરાધનાનો મહિમા અનેરો છે. અમદાવાદમાં સવારથી ભદ્રકાલી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અહીં નવરાત્રીના નવ દિવસ માતાજીને ખાસ રંગીન વસ્ત્રોનો શણગાર કરવામાં આવશે.જેમાં સિંહ, હંસ, નંદી સહિત વિવિધ સવારીનો શણગાર કરવામાં આવશે. આઠમા નોરતે માતાજીને મહા સિંહાસન પર બિરાજમાન કરાવાશે. નવરાત્રી દરમિયાન હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી બંને નવરાત્રીનું મહાત્મ્ય વિશેષ છે. રાજ્યની ઉત્તર દિશામાં આવેલા અરવલ્લી પર્વતની ગીરીમાળામાં મા અંબાનો ગબ્બર આવેલો છે. જ્યારે બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલ મા અંબાનું અંબાજી મંદિર એ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ માનવામાં આવે છે. અહીં આવેલા મુળ ગબ્બરને આરાશુરનું શિખર પણ કહેવામાં આવે છે. નવરાત્રીમાં અહીં ગરબાની ભારે રમઝટ જામે છે.(file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code