1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત યુનિવર્સિટી દ્વારા લૉ સેમેસ્ટર 2, 4 અને 6ની ઓનલાઇન પરીક્ષા 6 જુલાઇથી લેવાશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા લૉ સેમેસ્ટર 2, 4 અને 6ની ઓનલાઇન પરીક્ષા 6 જુલાઇથી લેવાશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા લૉ સેમેસ્ટર 2, 4 અને 6ની ઓનલાઇન પરીક્ષા 6 જુલાઇથી લેવાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે આગામી ૬ જુલાઇથી લૉમાં દરેક સેમેસ્ટરમાં ઓનલાઇન એકઝામ લેવાનુ નક્કી કરાયુ છે. ઓનલાઇન એકઝામ આપવી કે ઓફલાઇન તે માટે  વિદ્યાર્થીઓને આગામી ૧૯મી જૂન સુધીમાં વિકલ્પ આપી દેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઓનલાઇન પરીક્ષાના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. ઓનલાઇન એકઝામમાં ૫૦ મિનિટમાં ૫૦ એમસીક્યુ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. નેગેટીવ માર્કીંગ સીસ્ટમ રાખવામાં આવી નથી.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ૧૭મીથી બીજા તબક્કાની ઓનલાઇન એકઝામ શરૂ થવાની છે. આ એકઝામમાં અગાઉ જે વિદ્યાર્થીઓએ સંમતિ આપી છે તેમની પરીક્ષા લેવામાં આવશે. તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પરીક્ષા કેવી રીતે લેવી તેનો નિર્ણય યુનિવર્સિટી પર છોડવામાં આવ્યો હતો.

જેના અનુસંધાનમાં ગુજરાત યુનિવર્સિટીએ લૉ ફેકલ્ટીમાં સેમેસ્ટર ૨,૪ અને ૬ ઉપરાંત ઇન્ટીગ્રેટેડ વિદ્યાર્થીઓને પણ ઓનલાઇન કે ઓફલાઇન એકઝામ આપવી છે તેનો વિકલ્પ આપવાનો નિર્ણય કરીને તે અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. લૉ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઓનલાઇન એકઝામ આપવા ઇચ્છતાં હોય તો તેઓએ ૧૯મી જૂન સુધીમાં પસંદગી આપી દેવાની રહેશે. જે વિદ્યાર્થીઓ કોઇ પસંદગી આપશે નહી તેઓ ઓફલાઇન એકઝામ આપવા ઇચ્છે છે તેમ માનવામા આવશે અને ઓફલાઇન એકઝામ આગામી દિવસોમાં પરિસ્થિતિ અનુકુળ થયા બાદ લેવામાં આવશે. ઓનલાઇન એકઝામ માં સેમેસ્ટર ૨,૪ અને ૬ની પરીક્ષા આગામી તા. ૬ જુલાઇથી લેવામાં આવશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ આગામી દિવસોમાં વેબસાઇટ પર જાહેર કરાશે. ઓનલાઇન એકઝામ પહેલા મોક ટેસ્ટ લેવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપવી ફરજિયાત છે.

મોક ટેસ્ટ ન આપનારા વિદ્યાર્થીઓ ઓનલાઇન એકઝામ આપી શકશે નહી. મોક ટેસ્ટ ઉપરાંત અંતિમ પરીક્ષા પહેલા મહાવરા માટે સામાન્ય જ્ઞાનના માત્ર ૧૦ પ્રશ્નો ધરાવતી ટ્રાયલ ટેસ્ટ પણ લેવામાં આવશે. આ ટેસ્ટ વિદ્યાર્થીઓ એકથી વધુ વખત કોઇપણ સમયે આપી શકશે. પરીક્ષા શરૂ થવાના ૨૦ મિનિટ પહેલા વિદ્યાર્થીઓે લોગઇન થવાનુ રહેશે. પરીક્ષા પુરી થાય બાદ વિદ્યાર્થીઓની જવાબો આપોઆપ સેવ થઇ જશે. વિદ્યાર્થી પાઠયપુસ્તક કે બહારના કોઇ પણ સ્ત્રોત દ્વારા મેળવેલી કોર્સ નોટનો ઉપયોગ કરી શકશે નહી. વિદ્યાર્થીની તસવીરનુ સિસ્ટમ દ્વારા રેકોર્ડિંગ કવરામાં આવશે.

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની જગ્યા છોડી શકશે નહી. વિદ્યાર્થી આવી કોઇ હિલચાલ કરે તો પરીક્ષા સ્થગિત કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન ફોન કોલ કે નોટિફિકેશન રીસીવ કરશે તો ગેરવર્તણૂક ગણાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code