
કચ્છના ઝૂરા કેમ્પના પાકિસ્તાની શરણાર્થીઓને મળશે ભારતનું નાગરિકત્વઃ શરણાર્થીઓ ખૂશખૂશાલ
ભૂજઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ પાસેથી ભારતીય નાગરિકતા માટે અરજીઓ માગી છે. કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, સિખ, જૈન તેમજ બૌદ્ધ અને ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબના 13 જિલ્લામાં રહેતા બિન-મુસ્લિમોને ભારતીય નાગરિક્તા માટે આમંત્રિત કર્યા હતા. જે અંતર્ગત કચ્છમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને પણ ભારતની નાગરિકતા મળશે.
વર્ષ 2009માં પાકિસ્તાનથી ગુજરાતના પાટણમાં પાકિસ્તાની શરણાર્થીઓ આવ્યા હતા અને ત્યારબાદ 2011માં આ શરણાર્થીઓ કચ્છમાં વસવાટ શરૂ કર્યો હતો. હાલમાં તેઓ ભુજ તાલુકાના ઝુરા કેમ્પમાં રહે છે પરંતુ તેમને કોઈ જાતની સવલત મળતી નથી કારણ કે એમના પાસે ભારતનું નાગરિકત્વ નથી. 2018માં તેઓએ કલેકટર કચેરી ખાતે અરજી કરી હતી પરંતુ અત્યાર સુધી તેઓને નાગરિકત્વ મળ્યું નથી. હવે નવા કાયદાની તમામ શરણાર્થીઓને ભારતનું નાગરિત્વ મળશે. કચ્છના ઝુરા કેમ્પમાં વસવાટ કરતા શરણાર્થીઓના કહેવા મુજબ ઝુરા કેમ્પમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના બે પરિવાર રહે છે. 1971માં પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા શરણાર્થીઓના ઘણા પરિવારો અહીં આવ્યા હતા.અને એમને અહીંનું નાગરિકત્વ મળ્યું છે. આ શરણાર્થીઓના સગા સંબંધીઓ પણ અહીં રહે છે. પરંતુ પાછળથી જે લોકો આવેલા છે એમને હજુ સુધી નાગરિકત્વ મળ્યું નથી.શરણાર્થી માધુભા સોઢાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન થી આવેલા શરણાર્થીઓ પાસે એમના કોઈ ઓળખ પત્ર કે જન્મના દાખલા વગેરે કોઈ આધાર પણ નથી. જેના જેથી તેમના પરિવારજનોને કોઈ નોકરી કે કમ્પનીઓમાં કામ મળતું નથી. પરિણામે તેઓ છૂટક મજૂરી કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સીએએ હેઠળ તેમને ભારતની નાગરિકતા ) આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તેમને તમામ સુવિધાઓ તેમજ સરકારી યોજનાઓનો લાભ પણ મળશે અને એમનો ઓળખ પણ થશે. જેથી એમને એમના પાસે ઓળખ પત્ર હોવાથી કામકાજ મળી રહેશે નોકરીઓ પણ મળશે પરિણામે આ શરણાર્થીઓમાં ખુશી છવાઈ જશે. એવી પણ લાગણી આ લોકોએ વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારના CAA હેઠળ હવે અમને નાગરિકત્વ મળશે એટલે હવે અમને બધી સવલતો મળશે અને અમારા છોકરાઓને નોકરી મળશે હવે અને અમે ખુશ થઈને બધાને મીઠાઈ વેંચીશું.