1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં મોંઘા ખાદ્યતેલ સામે ઝઝૂમી રહેલા લોકોને મળશે મોટી રાહત,આટલા રૂપિયાનો થઈ શકે છે ઘટાડો
દેશમાં મોંઘા ખાદ્યતેલ સામે ઝઝૂમી રહેલા લોકોને મળશે મોટી રાહત,આટલા રૂપિયાનો થઈ શકે છે ઘટાડો

દેશમાં મોંઘા ખાદ્યતેલ સામે ઝઝૂમી રહેલા લોકોને મળશે મોટી રાહત,આટલા રૂપિયાનો થઈ શકે છે ઘટાડો

0
Social Share
  • દેશમાં મોંઘા ખાદ્યતેલથી લોકોને મળશે મોટી રાહત
  • ભાવમાં 10 થી 12 રૂપિયા પ્રતિ લીટરનો થઈ શકે છે ઘટાડો
  • ખાદ્યતેલ કંપનીઓ સાથે સરકારની બેઠક

દિલ્હી:દેશમાં ખાદ્યતેલોના ભાવ છેલ્લા કેટલાક મહિનાઓથી નવી ઊંચાઈએ ચાલી રહ્યા છે. ખાદ્યતેલોની આ મોંઘવારીને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીઓ ઘણા મહિનાઓથી વધી છે, પરંતુ આ દરમિયાન દેશના સામાન્ય લોકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જે અંતર્ગત દેશમાં મોંઘા ખાદ્ય તેલ સામે ઝઝૂમી રહેલા લોકોને મોટી રાહત મળવાની છે.કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી અને વૈશ્વિક પરિસ્થિતિ બાદ દેશની અંદર ખાદ્યતેલોના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.જે અંતર્ગત ખાદ્યતેલોના ભાવમાં એકસાથે 10 થી 12 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થઈ શકે છે.

ખાદ્ય તેલના ભાવમાં વૈશ્વિક સ્તરે વધારાના સ્ટોક અને ખાદ્ય તેલના ગેરકાયદેસર સંગ્રહને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા તપાસ્યા પછી કંપનીઓ એક સપ્તાહની અંદર ખાદ્યતેલના ભાવમાં 10-12 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થવાની અપેક્ષા રાખે છે.

વાસ્તવમાં વૈશ્વિક સ્તરે ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થયો છે, કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે કે, વૈશ્વિક સ્તરે ખાદ્યતેલોના ઘટેલા ભાવનો લાભ દેશના લોકોને પણ મળવો જોઈએ.આ માટે કેન્દ્રીય ખાદ્ય અને પુરવઠા વિભાગે ગત રોજ ખાદ્યતેલ કંપનીઓ સાથે બેઠક યોજી છે. જેમાં ખાદ્યતેલોના ભાવ ઘટાડવા માટે ચર્ચા કરવામાં આવી છે.જોકે ભૂતકાળમાં પણ ખાદ્ય તેલ કંપનીઓએ ભાવ ઘટાડાનું એલાન કર્યું હતું,પરંતુ હજુ સુધી તેની અસર છૂટક બજારોમાં તેલની કિંમતોમાં જોવા મળી નથી.તે જ સમયે, માનવામાં આવે છે કે આ વખતે કેન્દ્ર સરકાર ખાદ્ય તેલ કંપનીઓને પણ કિંમત ઘટાડવા માટે આદેશ જારી કરી શકે છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code