દેશના 10 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં PM કિસાન યોજાનાની સહાય ટ્રાન્સફર કરાઈ
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022ના પ્રથમ દિવસે કરોડો અન્નદાતાઓને સમર્પિત કર્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રંસના માધ્યમથી દેશના 10.09 કરોડ ખેડૂતોને નવા વર્ષની ભેટ રૂપે પીએમ-કિસાનના હપ્તાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સીગના માધ્યમથી સમગ્ર દેશમાં કિસાન ઉત્પાદન સંગઠનો સાથે વાતચીત કરી હતી.
આ પહેલા સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ અન્નદાતાઓને સમર્પિત રહેશે. ખેડૂતોને પીએમ કિસાનના 10માં હપ્તો જાહેર કરવાનું સૌભાગ્ય મળશે. આમ 10 કરોડથી વધારે પરિવારોને 20 હજાર કરોડની રકમ ટ્રાન્સફર કરવાની લાભ મળશે. વડાપ્રધાન દ્વારા વર્ષ 2018માં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને આર્થિક મદદ કરવાના ઈરાદે આ યોજના શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 9 હપ્તા ચુકવવામાં આવ્યાં હતા અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સહાય યોજનાનો 10મો હપ્તાની રકમ ટ્રાન્સફર કરી હતી.