1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ દેશવાસીઓને 75મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી- આજે 8મી વખત પીએમ મોદી ધ્વજ લહેરાવશે
પીએમ મોદીએ દેશવાસીઓને 75મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી- આજે 8મી વખત પીએમ મોદી ધ્વજ લહેરાવશે

પીએમ મોદીએ દેશવાસીઓને 75મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી- આજે 8મી વખત પીએમ મોદી ધ્વજ લહેરાવશે

0
Social Share
  • પીએમ મોદી 8 મી વખત ધ્વજ લહેરાવશે
  • થીમ હશે આત્મ નિર્ભર ભારત

દિલ્હીઃ આજે સમગ્ર દેશભમાં 75મા સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે આજે પીએમ મોદી 8 મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવશે, આ સાથે જ આ વર્ષનો આ પર્વ ખાસ હશે,ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. 75માં સ્વંતત્રતા દિવસને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરાયું છે.  આ સાથે જ પહેલી વખત લાલ કિલ્લા પર પુષ્પવર્ષા પણ કરવમાં આવશે.આજના આ ખાસ દિવસ પર પીએમ મોદીએ દેશવાસીઓને આ પર્વની શુભેચ્છાઓ પાઠવી છે.

આજના આ ખાસ દિવસે  પીએમને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે નૌસેના, વાયુસેના અને દિલ્હી પોલિસના દરેક અધિકારીઓમાંથી એક અધિકારી ઉપસ્થિત રહેશે, આ સહીત નૌસેનાની કમાન લેફ્ટિનેન્ટ કમાન્ડર સુને ફોગાટ, સેનાની ટુકડીની કમાન મેજર વિકાસ સાંગવાન અને વાયુસેનાની કમાન સ્કવોડ્રન લીડર એ બેરવાલ સંભાળનાર છે.

પીએમ મોદી ધ્વજવંદન બાદ દેશજોગ સંદેશો પણ આપશે. આ પર્વ પર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવશે. અમદાવાદના સાબરમતિ આશ્રમથી આઝાદી અમૃત મહોત્સવ શરૂ કરવામાં આવશે જે 15 ઓગસ્ટ વર્ષ 2023 સુધી ચાલુરખાશે. આ કાર્યક્રમમાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ચોપડાની પણ ઉપસ્થિતિ જોવા મળશે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code