1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી 12 જુલાઈએ દેવઘરની લેશે મુલાકાત,સુરક્ષામાં તૈનાત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બૂસ્ટર ડોઝ લગાવાયા
PM મોદી 12 જુલાઈએ દેવઘરની લેશે મુલાકાત,સુરક્ષામાં તૈનાત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બૂસ્ટર ડોઝ લગાવાયા

PM મોદી 12 જુલાઈએ દેવઘરની લેશે મુલાકાત,સુરક્ષામાં તૈનાત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બૂસ્ટર ડોઝ લગાવાયા

0
Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12 જુલાઈએ પ્રસ્તાવિત દેવઘર પ્રવાસ દરમિયાન ડયુટી પર તૈનાત ઝારખંડના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને શુક્રવારે એન્ટી-કોવિડ-19 રસીની સાવચેતીભરી માત્રા આપવામાં આવી.એક અધિકારીએ જણાવ્યું કે,દેવઘર જિલ્લા પ્રશાસને ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.ગુરુવારે ઝારખંડમાં કોરોના વાયરસના 102 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી 11 કેસ દેવઘરમાં નોંધાયા હતા. જો કે, ગુરુવારે રાજ્યમાં ચેપથી કોઈનું મોત થયું નથી.

તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન 401 કરોડ રૂપિયાના ખર્ચે 657 એકર જમીન પર બનેલા દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.તેમાં 2,500 મીટર લાંબો રનવે પણ છે, જે એરબસ A320 એરક્રાફ્ટને ટેક ઓફ અને લેન્ડ કરવાનું શક્ય બનાવે છે.એરપોર્ટ પર 5,130 ચોરસ ફૂટનું ટર્મિનલ બિલ્ડીંગ છે જેમાં છ ચેક-ઇન કાઉન્ટર છે જે એક સમયે 200 મુસાફરોને સમાવી શકે છે. મોદી 14 જુલાઈથી શરૂ થઈ રહેલા શ્રાવણી મેળા પહેલા બાબા બૈદ્યનાથ ધામમાં પ્રાર્થના પણ કરવાના છે.

શ્રાવણી મેળો ઝારખંડનો સૌથી મોટો સામાજિક-ધાર્મિક પ્રસંગ માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે સાવન મહિનામાં દેશ-વિદેશમાંથી સરેરાશ 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભેગા થાય છે. દેવઘરના ડેપ્યુટી કમિશનર મંજુનાથ ભજંત્રીએ ગુરુવારે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે શુક્રવારે, જિલ્લા મુખ્યાલયના કોર્ટ સંકુલમાં સ્થિત સૂચના ભવનમાં એક રસીકરણ ટીમ તૈનાત કરાઈ હતી.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code