1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ બેંગલુરુમાં નાદપ્રભુ કેમ્પેગૌડાની 108-મીટર લાંબી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું
પીએમ મોદીએ બેંગલુરુમાં નાદપ્રભુ કેમ્પેગૌડાની 108-મીટર લાંબી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું

પીએમ મોદીએ બેંગલુરુમાં નાદપ્રભુ કેમ્પેગૌડાની 108-મીટર લાંબી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું

0
Social Share

બેંગલુરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં નાદપ્રભુ કેમ્પેગૌડાની 108-મીટર લાંબી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું. વડાપ્રધાનએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને પવિત્ર જળ અર્પણ કર્યું. તેમણે એક છોડનું વાવેતર પણ કર્યું હતું.

બેંગલુરુના વિકાસમાં શહેરના સ્થાપક નાદપ્રભુ કેમ્પેગૌડાના યોગદાનની યાદમાં આ પ્રતિમા બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ફેમ રામ વી સુતારની સંકલ્પના અને તેમના દ્વારા બનાવવામાં આવેલ આ પ્રતિમા માટે 98 ટન બ્રોન્ઝ અને 120 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાનએ ટ્વીટ કર્યું;

“બેંગલુરુના નિર્માણમાં શ્રી નાદપ્રભુ કેમ્પેગૌડાની ભૂમિકા અપ્રતિમ છે. તેમને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે યાદ કરવામાં આવે છે જેમણે હંમેશા લોકોના કલ્યાણને દરેક વસ્તુથી ઉપર રાખ્યું હતું. બેંગલુરુમાં ‘સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પરિટી’નું ઉદ્ઘાટન કરવા બદલ સન્માનિત.”

વડાપ્રધાનની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, કર્ણાટકના રાજ્યપાલ થાવર ચંદ ગેહલોત અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સહિત અન્ય લોકો પણ હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code