1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે,વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન તેમજ શિલાન્યાસ કરશે
પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે,વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન તેમજ શિલાન્યાસ કરશે

પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે,વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન તેમજ શિલાન્યાસ કરશે

0
Social Share
  • પીએમ મોદી લેશે ગુજરાતની મુલાકાત
  • 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે
  • વિવિધ વિકાસ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે.આ તકે અનેક પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે.

18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પીએમ મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે.

20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે વડાપ્રધાન ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્દઘાટન કરશે.ત્યારબાદ, બપોરે લગભગ 3:30 કલાકે વડાપ્રધાન દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code