ખરગોન હિંસા પ્રકરણમાં અસરગ્રસ્તોને થયેલી નુકસાનીની ભરપાઈ આરોપીઓ પાસેથી કરાશે
ભોપાલઃ મધ્યપ્રદેશના ખરગોનમાં થયેલી હિંસાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. બીજી તરફ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરી છે. દરમિયાન તોફાનોમાં થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. ખરગોન હિંસા મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શુવરાજ સિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, ખરગોનમાં હાલ શાંતિ ભર્યો માહોલ છે, સરકારે નિર્ણય કર્યો છે કે, ઘરો અને સંપતિઓને તોફાનીઓએ નુકસાન કર્યું છે. 10 જેટલા ઘર ક્ષતિગ્રસ્ત થયાં હતા. તેમને ફરીથી ઉભા કરવામાં આવશે. સરકાર ક્ષતિગ્રસ્ત રીપેરીંગ કરવામાં સરકાર મદદ કરશે. આંશિક ક્ષતિગ્રસ્ત મકાનોની સંખ્યા 70 જેટલી છે. તેમણે પણ સરકાર મદદ કરશે. જે ઘાયલ થયાં છે તેમની યોગ્ય સારવાર કરવામાં આવશે. જેમની આજીવિકાને નુકસાન થયું છે તેમની આજીવિકાને ફરીથી ઉભી કરવામાં આવશે. અત્યાર સુધી 16 લોકોની યાદી આવી છે. નુકસાનની ભરપાઈ અત્યારે સરકાર કરશે. બાદમાં તોફાનીઓ પાસેથી આ રકમ વસુલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખરગોનમાં રામનવમીના પર્વ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન તોફાન થયું હતું. તોફાની ટોળાએ અનેક વાહનો અને મકાનોને આગ ચાંપી ભયનો માહોલ ઉભો કર્યો હતો. ખરગોનની ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે, પોલીસ દ્વારા પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે તેમજ ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.