1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિજીએ ચૌધરી ચરણસિંહ,કર્પુરી ઠાકુર, નરસિંહા રાવ અને એમએસ સ્વામીનાથનને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરાયાં
રાષ્ટ્રપતિજીએ ચૌધરી ચરણસિંહ,કર્પુરી ઠાકુર, નરસિંહા રાવ અને એમએસ સ્વામીનાથનને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરાયાં

રાષ્ટ્રપતિજીએ ચૌધરી ચરણસિંહ,કર્પુરી ઠાકુર, નરસિંહા રાવ અને એમએસ સ્વામીનાથનને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરાયાં

0
Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના ચાર મહાનુભાવોને સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સન્માનિત કર્યાં છે. જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, પીવી નરસિંહા રાવ, કૃષિ વૈજ્ઞાનિક ડો. એમએસ સ્વામીનાથન અને બિહારનાપૂર્વ સીએમ કર્પુરી ઠાકુરનો સમાવેશ થાય છે. ભાજપાના સિનિયર નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્નનું સન્માન પ્રાપ્ત થયું છે પરંતુ આજે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહ્યાં ન હતા. 31 માર્ચના રોજ રાષ્ટ્રપતિજી તેમના ઘરે જઈને સન્માનિત તરશે. અડવાણી સિવાય તમામ ચાર મહાનુભાવોને મરણઓપરાંત ભારત રત્ન આપવામાં આવ્યું છે. તેમના પરિવારજનોએ રાષ્ટ્રપતિજીના હસ્તે સમ્માન મળવ્યું હતું.

પૂર્વ વડાપ્રધાન નરસિંહા રાવનો ભારત રત્ન એવોર્ડ તેમના પુત્ર પી.વી.પ્રભાકર રાવએ સ્વિકાર્યો હતો. આવી જ રીતે એમ એસ સ્વામીનાથનનો ભારત રત્ન એવોર્ડ તેમની પુત્રી ડો. નિત્યા રાવએ સ્વિકાર્યો હતો. કર્પુરી ઠાકરનો ભારત રત્ન એવોર્ડ તેમના દીકરા રામનાથ ઠાકુરે લીધો હતો.જ્યારે ચૌધરી ચરણસિંહનો ભારત રત્ન એવોર્ડ તેમના પૌત્ર જયંત ચૌધરીના હાથમાં આપવામાં આવ્યો હતો. કેન્દ્રએ આ વર્ષ પાંચ મહાનુભાવોને ભારત રત્નથી સમ્માનિત કરવાની જાહેરાત કરી હતી. 2014માં સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં મદન મોહન માલવીયા, અટલ બિહારી વાજપાયી, પ્રણવ મુખર્જી, ભુપેન્દ્ર હજારિકા અને નાનાજી દેશમુખને સમ્માન મળ્યું છે. 2024માં પાંચ મહાનુભાવોને સમ્માનિત કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં 53 મહાનુભાવોનું સમ્માન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ 23મી જાન્યુઆરીએ કર્પુરી ઠાકુરની 100મી જંયતિના એક દિવસ પહેલા જ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code