1. Home
  2. ગુજરાતી
  3. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ મુર્મુ  
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ મુર્મુ  

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ મુર્મુ  

0
Social Share

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રવિવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રને આ તેમનું પ્રથમ સંબોધન હશે.રાષ્ટ્રપતિ ભવને શનિવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી.

ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.આ સિવાય દેશના લોકો દૂરદર્શનની તમામ ચેનલો પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ જોઈ શકે છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન સાંજે 7 વાગ્યે શરૂ થશે.તે પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ કર્યા પછી, તે સંબંધિત પ્રાદેશિક ભાષાઓમાં તેની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેડિયો તેનું પ્રાદેશિક ભાષામાં રાત્રે 9.30 વાગ્યે તેમના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર પ્રસારણ કરશે.

દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.તે સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર સૌથી નાની અને પ્રથમ આદિવાસી છે.તે એવી પહેલી રાષ્ટ્રપતિ છે,જેનો જન્મ દેશની આઝાદી પછી થયો છે.

દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે શનિવારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.કેન્દ્ર સરકારે લોકોને અપીલ કરી છે કે,તેઓ 13 થી 15 ઓગસ્ટની વચ્ચે પોતાના ઘરે ત્રિરંગો લગાવે.દેશના 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા, રાષ્ટ્રીય રાજધાનીમાં ઈમારતોને રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોથી રોશની કરવામાં આવી હતી, જ્યારે લોકોએ તેમના ઘરો અને વાહનોની ઉપર ત્રિરંગા ધ્વજ રાખ્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code