પૂર્વની સરકારોને ઈસરો ઉપર વિશ્વાસ ન હતોઃ નંબી નારાયણને કર્યો દાવો
નવી દિલ્હીઃ ઇસરોના મિશન મૂન હેઠળ ચંદ્રયાન-3એ તાજેતરમાં જ ચંદ્રની દક્ષિણ સપાટી ઉપર સફળતાપૂર્વક ઉતરાયણ કર્યું હતું. ભારતની આ સિદ્ધિની અમેરિકા સહિતના દુનિયાનાભરના દેશોએ પ્રસંશા કરવાની સાથે ભારતને શુભકામનાઓ પાઠવી છે. જો કે, હવે ભારતમાં ઈસરોની આ સફળતાનો શ્રેય ખાંટવા માટે રાજકીય પક્ષોમાં ખેંચતાણ શરૂ થઈ છે. દરમિયાન ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણને દેશની પૂર્વ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે, એટલું જ નહીં પહેલા ઈસરોને પુરી સુવિધાઓ પુરી પાડવામાં આવતી ન હોવાનો દાવો કર્યો છે.
એક ઈન્ડરવ્યુહમાં નંબી નારાયણને પૂછવામાં આવ્યું હતું કે, રાજકીય પક્ષો ચંદ્રયાન-3 મિશનની સફળતાનો શ્રેય લેવા ખાંટવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ અંગે આપનું શું કહેવું છે. તેના જવાબમાં નબી નારાયણને જણાવ્યું હતું કે, ઇસરોની શરૂઆતમાં પૂર્વ સરકારોની પ્રાથમિકમાં અંતરિક્ષમાં રિસર્ચ ન હતી અને ઈસરોને મળતુ બજેટ પણ ઓછું હતું. પ્રારંભમાં રિસર્ચના કામ માટે કાર કે જીપ પણ ઉપલબ્ધ ન હતી માત્ર એક બસ હતી જે શિફ્ટમાં ચાલતી હતી. નંબી નારાયણનના દાવા અનુસાર, પૂર્વની સરકારોએ ઈસરો પર વિશ્વાસ ન હતો.
ચંદ્રયાન-3એ તાજેતરમાં ચંદ્ર ઉપર સફળતાપૂર્વક ઉતરાયણ કર્યું હતું. ઈસરોની આ સફળતાને વટાવવા માટે રાજકીય પાર્ટીઓમાં હોડ જામી હોય તેમ લાગી રહ્યું છે. ભાજપાઆ સફળતાનો દાવો કરી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પણ ઈસરોની સફળતા માટે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને જશ આપી રહ્યું છે.