1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મીએ ગુજરાતના પ્રવાસે, સરપંચ સંમેલન અને ખેલ મહાકુંભમાં હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મીએ ગુજરાતના પ્રવાસે, સરપંચ સંમેલન અને ખેલ મહાકુંભમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મીએ ગુજરાતના પ્રવાસે, સરપંચ સંમેલન અને ખેલ મહાકુંભમાં હાજરી આપશે

0
Social Share

ગાંધીનગર : દેશમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો તા.10મી માર્ચે જાહેર થયા બાદ તા.11મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોરોના કાળ બાદ વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ ખાસ બની રહેશે. વડાપ્રધાન  ખેલ મહાકુંભના રંગારંગ કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે. તેમજ સરપંચોના સંમેલનમાં સંબોધન કરશે. દરમિયાન આરએસએસની સર્વોચ્ચ બેઠક પણ અમદાવાદ નજીક પીરાણા ખાતે મળી રહી છે. જેમાં આરએસએસના વડા મોહન ભાગવત અને ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડડાની હાજરી ખાસ બની રહેશે. 32 વર્ષના લાંબા ગાળા બાદ આરએસએસ ની સર્વોચ્ય બેઠક ગુજરાતમાં મળવાની છે, ત્યારે આ બેઠક ખાસ બની રહેશે.  આમ ગુજરાતમાં 11મીથી ભાજપ અને સંઘના મોભીઓ ગુજરાતમાં હાજરી આપશે.

સૂત્રોના જમાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11,12 માર્ચે ગુજરાત આવશે. 11 માર્ચે વડાપ્રધાન મોદી અમદાવાદના GMDC મેદાનમાં સરપંચ સંમેલનને સંબોધન કરશે. આ સંમેલનમાં સરપંચો ઉપરાંત પંચાયતી રાજ વ્યવસ્થાના હોદ્દેદારો પણ હાજર રહેશે. તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહેશે. ‘મારુ ગામ મારુ ગુજરાત’ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સંબોધન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ, મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો પણ હાજર રહેશે.

ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ મનપાના વિકાસ કાર્યોનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરી શકે છે. 12 માર્ચે  મોદી રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં હાજરી આપશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પણ પીએમ મોદી સંબોધન કરશે. 12 માર્ચે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. નવરંગપુરા સ્ટેડિયમમાં પીએમ મોદી ખેલ મહાકુંભને ખુલ્લો મુકશે. જેમાં પણ જંગી જનમેદનીને વડાપ્રધાન મોદી સંબોધન કરશે. સાથે જ ખેલ મહાકુંભની સફળતાની વાત કરશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 32 વર્ષો બાદ આરએસએસ ની સર્વોચ્ય બેઠક ગુજરાતમાં મળવાની છે. દર વર્ષે માર્ચ મહિનામાં મળનારી બેઠક અમદાવાદના પીરાણા ખાતે યોજાશે. 11 થી 13 માર્ચ સુધી અમદાવાદ પિરાણા ખાતે આરએસએસની બેઠક મળશે. આરએસએસ ની આ બેઠક વડા મોહન ભાગવત અને ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડાની હાજરીમાં યોજાશે. 1988 બાદ પહેલીવાર ગુજરાતમાં આ બેઠક યોજાશે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને આ બેઠક મહત્વની ગણવામાં આવી રહી છે. આરએસએસની બેઠકમાં શારીરિક પ્રચાર, સંપર્ક, પ્રચારક અભિયાન સહિતના મુદ્દાઓ અંગે મંથન થશે. જેમાં 2-3 કેન્દ્રીય મંત્રીઓ પણ બેઠકમાં ભાગ લેશે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code