1. Home
  2. ગુજરાતી
  3. હલવા સેરેમની સાથે બજેટની તૈયારી શરૂ, 5 જુલાઈએ રજૂ થશે અંદાજપત્ર
હલવા સેરેમની સાથે બજેટની તૈયારી શરૂ, 5 જુલાઈએ રજૂ થશે અંદાજપત્ર

હલવા સેરેમની સાથે બજેટની તૈયારી શરૂ, 5 જુલાઈએ રજૂ થશે અંદાજપત્ર

0
Social Share

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળમાં પાંચમી જુલાઈએ રજૂ થનારા બજેટની તૈયારી હલવા સેરેમની સાથે શરૂ થઈ ચુકી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે હલવા સેરેમનીમાં સાંસદો અને નાણાં મંત્રાલયના અધિકારીઓને હલવો ખવડાવીને બજેટની પ્રક્રિયાની શરૂઆત કરાવી છે. આ પહેલો મોકો છે કે જ્યારે મહિલા નાણાં પ્રધાન તરફથી બજેટ રજૂ કરવામાં આવશે.

પરંપરા પ્રમાણે, દર વર્ષે સામાન્ય બજેટથી થોડા દિવસ પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે નાણાં મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહે છે. તેની સાથે જ પ્રિન્ટિંગ પ્રેસના તમામ કર્મચારીઓ સહીત નાણાં મંત્રાલયના 100 અધિકારીઓને બજેટ રજૂ થવા સુધી નજરબંધ કરવામાં આવશે.

હલવા સેરેમની બજેટ દસ્તાવેજના મુદ્રણકાર્યની શરૂઆતથી પહેલા ગણાં લાંબા સમયથી મનાવવામાં આવે છે. આ પરંપરામાં એક મોટી કઢાહીમાં હલવો તૈયાર કરવામાં આવે છે. આ હલવાને મંત્રાલયના તમામ કર્મચારીઓને આફવામાં આવે છે. હલવો વહેંચાયા બાદ નાણાં મંત્રાલયના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓને મંત્રાલયમાં જ આખી દુનિયાથી અલગ રહેવાનું હોય છે. આ એ કર્મચારી હોય છે કે જે પ્રત્યક્ષપણે બજેટ બનાવવાથી લઈને તેના પ્રિન્ટિંગની પ્રક્રિયા સાથે જોડાયેલા રહે છે.

લોકસભામાં નાણાં પ્રધાનના બજેટ રજૂ કરવા સુધી આ કર્મચારી પોતાના પરિવાર સાથે ફોન પર પણ સંપર્ક કરી શકતા નથી. આ પરંપરાપ બાદ નાણાં મંત્રાલયના માત્ર અતિ વરિષ્ઠ અધિકારીને જ પોતાના ઘરે જવાની મંજૂરી મળે છે. નાણાં પ્રધાન તરફથી હલવો વહેંચવામાં આવ્યા બાદ મંત્રાલયના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓને મંત્રાલયમમાં જ આખી દુનિયાથી અલગ રહેવાનું હોય છે. બજેટ બનાવવાની પ્રક્રિયામાં લાગેલા અધિકારીઓ નોર્થ બ્લોકમાં જ રહે છે. તેઓ બજેટના દિવસે નાણાં પ્રધાનના ભાષણ સમાપ્ત થવા સુધી અહીં રહે છે.

આ બજેટમાં નોકરિયાતોને મોટી રાહત મળે તેવી શક્યતા છે. આ વખતે સરકાર ઈન્કમટેક્સ અધિનિયમની સેક્સન 80 – સીની રોકાણ પરની મર્યાદા વધારે તેવી પણ શક્યતા છે. અત્યાર સુધી 8-સી હેઠળ 1.50 લાખ રૂપિયાના રોકાણ પર ટેક્સ છૂટ મળી છે. તેને વધારીને બે લાખ રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે. ઈન્કમટેક્સની મર્યાદા વધારીને અઢી લાખ રૂપિયાથી ત્રણ લાખ રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે. આ પ્રકારે કુલ મળીને પાંચ લાખ રૂપિયાની આવકને ટેક્સ ફ્રી કરવાનું એલાન કરવાની પણ શક્યતા છે.

આ પહેલા સરકાર તરફથી ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં પાંચ લાખ સુધીની ટેક્સ રીબેટ આપવામાં આવી હતી. તેના આધારે પાંચ લાખ સુધી કમાણી કરનારને ટેક્સથી છૂટ હતી. પરંતુ આનાથી વધુ કમાણી કરનારાઓને સમગ્ર ટેક્સ આપવાની જોગવાઈ છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code