1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારી મેડિકલ કોલેજોના પ્રાધ્યાપકોને નિવૃતના 10 વર્ષ બાદ બઢતી, સરકારનું અંધેર તંત્રઃ કોંગ્રેસ
સરકારી મેડિકલ કોલેજોના પ્રાધ્યાપકોને નિવૃતના 10 વર્ષ બાદ બઢતી, સરકારનું અંધેર તંત્રઃ કોંગ્રેસ

સરકારી મેડિકલ કોલેજોના પ્રાધ્યાપકોને નિવૃતના 10 વર્ષ બાદ બઢતી, સરકારનું અંધેર તંત્રઃ કોંગ્રેસ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજના 6 પ્રોફેસર અને 11 સહપ્રાધ્યાપકના 20-25 વર્ષે બઢતીના નિમણુંક પત્રો પાછલી અસરથી તદન હેગામી ધોરણે અપાયા છે, એમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના શિરમોર કહેવાતો વહીવટમાં કેટલી પોલંપોલ ચાલે તે જોવા મળ્યું, બઢતીના જે નિમણૂક પત્રો અપાયા છે, એમાં કોઈનું અવસાન થયું છે અને ઘણા બધા દસ-દસ વર્ષથી નિવૃત થઇ ગયા છે. તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું.

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તાએ વધુમાં જણવાયું હતું કે, રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજમાં તબીબી શિક્ષણ આપતા પ્રાધ્યાપક-સહપ્રાધ્યાપકોને મળવા પાત્ર બઢતી, પે સ્કેલ અને અન્ય લાભો માટે છેલ્લા 25 વર્ષમાં આંદોલન, હડતાલ સહિત અનેક રજુઆતો મંત્રીથી લઈને સંત્રી સુધી કરવામાં આવી હતી. તેમ છતાં તેમનો કાર્યકાળ પૂરો થઇ જાય, મંત્રીઓના વિભાગો બદલાઈ જાય પણ મળવા પાત્ર લાભોથી સતત રાજ્યના તબીબી શિક્ષણ આપતા પ્રાધ્યાપકોને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં વિવિધ સરકારી મેડીકલ કોલેજમાં 1995, 1997, 1998, 2000, 2001, 2003,ના વર્ષમાં જે તે સમયે એડ-હોક બઢતીના આદેશ કરવામાં આવ્યા હતા. એટલે કે એડ-હોક બઢતી જ્યાં સુધી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નિયમ મુજબ પસંદગી ન થાય અથવા તો સમય મર્યાદામાં વિભાગીય બઢતી થાય આવી કોઈ પણ વ્યવસ્થા છેલ્લા 25 વર્ષમાં આરોગ્ય વિભાગ દ્વારા અમલવારી ન કરીને આજે પણ જે બઢતીના આદેશ કરવામાં આવ્યા તે તદ્દન હંગામી ધોરણે થયા એ કેટલા અંશે વ્યાજબી છે ? જે  પ્રાધ્યાપકો નિવૃતી બાદ અવસાન પામ્યા, નિવૃત્તિના દસ વર્ષ પૂર્ણ થઇ ગયા ત્યાં સુધી આરોગ્ય વિભાગ જાણી જોઇને ઊંઘી રહ્યું. જે તે  સરકારી મેડીકલ કોલેજમાં ખરીદી, બાંધકામ સહિત અનેક પ્રકારની ગેરરીતિઓ આચરવા માટે મંત્રીઓને –અધિકારીઓને છુટો દોર મળે તે માટે કાયમી બઢતી-નિમણુકને બદલે પ્રાધ્યાપકોને હંગામી ધોરણે જ લટકાવી રાખવું સુનિયોજિત કાવતરું તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.  રાજ્યની સરકારી મેડીકલ કોલેજમાં કાર્યરત પ્રાધ્યાપકો અને કર્મચારી પ્રત્યે ઓરમાયું અને તુમારશાહી વર્તન કરનારા ભાજપાના શાસકોએ રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને મોટાપાયે નુકશાન કરી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આરોગ્ય વિભાગ- ભાજપ સરકાર જવાબ આપવો જોઈએ.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code