વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પાસેથી રેલ્વે 3 મહિનામાં 19 કરોડનો દંડ વસુલ કર્યો
- ટ્રેનમાં વગર ટિકિટે યાત્રા કરતા લોકો સામે રેલ્વેની લાલઆંખ
- 3 મહિનામાં 19 કરોડનો દંડ વસુલ્યો
દિલ્હીઃ- જો તમે ટ્રેનમાં ટિકિટ લીધા વગર જ યાત્રા કરી રહ્યા છો તો તમારે મોટો દંડ ચૂકવવાનો વખત ાવી શકે છે કારણ કે રેલ્વે વિભાગ એક્શનમાં છે રેલ્વેએ અભિયાન ચલાવીને છેલ્લા ત્રણ મહિનામાં ટિકિટ વગરના મુસાફરો પાસેથી 19 કરોડનો દંડ વસૂલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજાન્યુઆરીમાં એક મહિનાનો દંડ રૂ. 5.07 કરોડ હતો., ઉત્તર રેલવેએ ટિકિટ વગર મુસાફરી કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે જેમાં ખાસ ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રેલવેએ જણાવ્યું છે કે ટિકિટ ચેકિંગ માટે સ્ટાફને અલગ-અલગ સ્ટેશનો અને ટ્રેનોમાં મોકલવામાં આવી રહ્યા છે. ટિકિટ ચેકિંગ સ્ટાફ ટિકિટ વગર મુસાફરો સામે કાર્યવાહી કરી રહ્યો છે.
રેલવેએ કહ્યું છે કે કડક વલણ બાદ આવકમાં વધારો થયો છે. રેલ્વે દાવો કરે છે કે આ કાર્યવાહી અધિકૃત મુસાફરોની મુસાફરીને વધુ સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.
કાયદેસરના મુસાફરોને ટિકિટ વગર મુસાફરી કરતા યાત્રી સાથે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રેનમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ એપિસોડમાં, જાન્યુઆરી મહિનામાં, 308 લોકો માસ્ક વિના મુસાફરી કરતા પકડાયા હતા. પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ મુસાફરો પાસેથી 67 હજાર 300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ટ્રેનોમાં ગંદકી ફેલાવવા બદલ 211 મુસાફરો પાસેથી 43,200 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.ઉત્તર રેલવે દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ટિકિટ વિના મુસાફરી કરવાની સાથે, કોરોના પ્રોટોકોલનું પાલન ન કરવા અને ગંદકી ફેલાવવા બદલ અલગથી દંડ વસૂલવામાં આવ્યો હતો.
છેલ્લા 3 મહિનામાં ઉત્તર રેલવેએ વિશેષ અભિયાન હેઠળ 19 કરોડ રૂપિયાની આવક મેળવી છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ પ્રકારની ચેકિંગ ડ્રાઇવ અધિકૃત મુસાફરોની મુસાફરીને સુરક્ષિત અને સરળ બનાવામાં મહત્વ પૂર્મ છે.