રાજસ્થાન સરકારે પતંજલિના સરસવનું તેલ ખરાબ ગુણવત્તાનું હોવાનો દાવો કર્યોઃ- અલવરની તેલ મીલ કરાઈ બંધ
- રાજસ્થાન કરકારે પતજંલિના તેલની મીલ કરી બંધ
- સરસવનું તેલ ખરાબ ગુણવત્તાનું હોવાનો દાવો
દિલ્હીઃ- બાબારામ દેવ છેલ્લા ઘણા દિવસોથી પોતોના એલોપેથિના નિવેદનને લઈને વિવાદમાં સપડાયા છે, ત્યારે હવે રાજસ્થાન કરકારે પતંજલિના સરસવના તેલની ગુણવત્તા ખરાબ હોવાનો દાવો કર્યો છે, આ સાથે જ અલવરમાં સ્થિત સરસવના તેલની મિલ પણ બંધ કરી છે.
રાજસ્થાન સરકારે પતંજલિના નામે ભેળસેળ કરેલ સરસવનું તેલ સપ્લાય કરવાના આરોપમાં અલવર જિલ્લા વહીવટીતંત્રે બુધવારે ખેરથલના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી સિંઘાનિયા ઓઇલ મીલમાં દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં નકલી તેલ અને ભેળસેળવાળા તેલના પાઉચ મળી આવ્યા હતા.જેને લઈને ઓઇલ મિલને પણ સીલ કરી દેવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ મુખ્ય તબીબી અધિકારી ડો.ઓમપ્રકાશ મીનાએ જણાવ્યું હતું કે 27 મી મેના રોજ સ્થાનિક વહીવટની હાજરીમાં સરસવના તેલના પાંચ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ પાંચ નમૂનાઓ ચકાસમાં નિષ્ફળ રહ્યા હતા.આ તેલ ગુણવત્તાની દ્રષ્ટિએ ખરાબ હોવાનું જણઆઈ આવ્યું હતું, ફેક્ટરી મેનેજમેન્ટને પરવાનગી પત્ર સાથે અન્ય દસ્તાવેજો બતાવવાનું કહેવામાં આવ્યું છે જેમાં ફેક્ટરીના લાઇસન્સ અને પતંજલિના પેકિંગ, સપ્લાય અને પેકિંગનું લાઇસન્સ પણ બતાવવા જણાવ્યું હતું.
વહીવટ તંત્ર તરફથી પતંજલિ તેલનું સપ્લાય કરવા અને પેકિંગ કરવા માટેના દસ્તાવેજો બતાવવાનું કહેવામાં આવ્યું છે જેમાં ફેક્ટરીના સપ્લાય અને પેકિંગનું લાઇસન્સ પણ બતાવવાનું કહેવામાં આવ્યું હતું. અલવર કલેકટરની આગેવાની હેઠળ સિંઘાનિયા ઓઇલ મિલ ફેક્ટરી ખાતે દરોડા પાડીને તેના વીડિયો પણ બનાવાયા હતા. ત્યારે આ પહેલા પણ ખાદ્યતેલ ઉદ્યોગ સંગઠનએ બાબા રામદેવની કંપની પતંજલિની સરસવના તેલ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.