1. Home
  2. ગુજરાતી
  3. રામનગરી અયોધ્યા અભેદ કિલ્લામાં ફેરવાયું, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
રામનગરી અયોધ્યા અભેદ કિલ્લામાં ફેરવાયું, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

રામનગરી અયોધ્યા અભેદ કિલ્લામાં ફેરવાયું, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

0
Social Share

લખનૌઃ રામ મંદિરમાં ભગવાનના અભિષેક પહેલા અયોધ્યા શહેર સુરક્ષાના મોરચે અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનાર આ સમારોહમાં લગભગ 8000 VIP મહેમાનો હશે. જેથી આકાશથી જમીન સુધી કડક દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આકાસમાં ડ્રોનથી સુરક્ષા પર નજર રાખવામાં આવશે. 10 હજારથી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જે  તમામ સ્થળો ઉપર  નજર રાખશે. આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ જવાનો આધુનિક હથિયારથી સજ્જ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) તૈનાત રહેશે આ ઉપરાંત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) સુધીના વિશેષ કમાન્ડો તૈનાત કરવામાં આવશે.

એસપી પ્રવીણ રંજને જણાવ્યું  હતું કે, રામ મંદિરની સુરક્ષા માટે સીઆરપીએફની 6 કંપનીઓ, પીએસીની 3 કંપનીઓ, એસએસએફની 9 કંપનીઓ અને એટીએસ અને એસટીએફની એક-એક યુનિટ 24 કલાક તૈનાત રહેશે. આ સાથે 300 પોલીસકર્મીઓ, 47 ફાયર સર્વિસ, 40 રેડિયો પોલીસ કર્મચારીઓ, 37 સ્થાનિક ગુપ્તચર, 2 બોમ્બ ડિટેક્શન સ્કવોડ ટીમો અને 2 એન્ટી સેબોટેજ સ્કવોડ ટીમો તૈનાત કરવામાં આવી છે. તેઓ માત્ર સ્થળ પર જ નહીં પરંતુ મંદિર તરફ જતા તમામ રસ્તાઓ અને આંતરછેદો પર પણ તૈનાત કરવામાં આવશે જેથી કોઈપણ ઘૂસણખોરીને અટકાવી શકાય. દરેક મુલાકાતીઓ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ શંકાસ્પદ દેખાતા વ્યક્તિની ઓળખ પૂછવામાં આવી રહી છે.

પીએમના સુરક્ષા વર્તુળમાં ત્રણ ડીઆઈજી, 17 એસપી, 40 એએસપી, 82 ડીએસપી, 90 ઈન્સ્પેક્ટરની સાથે 1000થી વધુ કોન્સ્ટેબલ અને 4 કંપની પીએસી તૈનાત રહેશે. યુપી પોલીસે સર્વેલન્સ માટે 10 હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જે લોકોએ પોતાની દુકાનો અને ઘરોની સામે સીસીટીવી કેમેરા લગાવ્યા છે તે પણ પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે.

દરમિયાન નજીકથી નજર રાખવા અને લાંબા અંતરના કોઈપણ હુમલાનો સામનો કરવા માટે સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. અયોધ્યામાં માઇક્રો લેવલ સુધી સુરક્ષાની તૈયારીઓ છે. સરયૂના કિનારે સુરક્ષા માટે સ્નાઈપર્સ તૈનાત રહેશે અને ઘણા જવાનો હાઈ સ્પીડ વોટિંગ દ્વારા નજર રાખશે. સ્થાનિક લોકોના મતે, અયોધ્યાની આસપાસ આટલી મજબૂત સુરક્ષા આ પહેલા ક્યારેય નથી બની. લોકો કહે છે કે આટલું મોટું સેલિબ્રેશન પહેલાં ક્યારેય થયું નથી, તેથી તે ખૂબ જ ખાસ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code