1. Home
  2. ગુજરાતી
  3. ક્યારથી બાળકોને કફ સિરપ અપાય? જાણો
ક્યારથી બાળકોને કફ સિરપ અપાય? જાણો

ક્યારથી બાળકોને કફ સિરપ અપાય? જાણો

0
Social Share

બાળકોની રોગપ્રતિકારક શક્તિ યુવાનોની સરખામણીમાં ઘણી ઓછી હોય છે. આ જ કારણે બાળકો વધારે વારંવાર બીમાર પડે છે. નબળી રાગપ્રતિકારક શક્તિને લીધે, વારંવાર ઉધરસ આવે છે. હવામાનમાં ફેરફાર થવાને કારણે અને પ્રદૂષણના કારણે બાળકોને ખાંસી થવા લાગે છે. ઘણા લોકો બાળકોને ઉધરસ આવે ત્યારે કફ સિરપ આપે છે. ક્યારેય વિચાર્યું છે કે બાળકને કફ સિરપ કઈ ઉંમરે આપવી જોઈએ? નાની ઉંમરે બાળકોને કફ સિરપ આપવાથી બાળકને ઘણું નુકશાન થઈ શકે છે.

સ્વાસ્થ્ય એક્સપર્ટના મતે, બાળકોને ઉધરસ માટે કફ સિરપ આપવી એકદમ યોગ્ય છે. બાળકની છાતીમાં કફ જમા થવા લાગે છે અને સિરપ પીવાથી દૂર થઈ જાય છે. બાળકોને કફ સિરપ પીવાથી તરત જ આરામ મળે છે. તેથી ડોક્ટર બાળકોને કફ સિરપ પીવાની સલાહ આપે છે.

સ્વાસ્થ્ય એક્સપર્ટ મુજબ જે બાળકોની ઉંમર એક વર્ષથી વધારે છે તે સુરક્ષીત રીતે કફ સિરપ પી શકે છે. પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે કફ સિરપ કઈ આપવામાં આવે છે. જો બાળકને ઉધરસ એલર્જી કે ઈમ્ફેક્શનથી કફ સિરપ અપાઈ રહી છે. તો ગળાના ઈન્ફેક્શનથી બચવું જોઈએ. એવામાં તમારે બાળકોને કફ સિરપ આપવાની શરૂ કરી દેવી જોઈએ.

બાળકોને સિરપ આપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એક જ ઘટકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મલ્ટી કોમ્પોનેન્ટ વાળી સિરપ બાળકો માટે હાનિકારક હોઈ શકે છે. બાળકને જ્યારે પણ સિરપ આપો ત્યારે ડોક્ટરની સલાહ લઈ ને આપો.

કફ સિરપનો ઓવરડોઝ બાળકોને ઘણી રીતે નુકશાન પહોચાડી શકે છે. બાળકોને ઊંઘમાં પણ તકલીફ પડી શકે છે. પેટનો દુખાવો, વધારે પરસેવો આવવો, હાઈ બીપી, હ્રદયના ધબકારા વગેરેને કારણે પણ વધઘટ થઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code