1. Home
  2. ગુજરાતી
  3. રામનવમી એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ  ,જાણો આ દિવસે શું કરવું જોઈએ
રામનવમી એટલે  મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ  ,જાણો આ દિવસે શું કરવું જોઈએ

રામનવમી એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ  ,જાણો આ દિવસે શું કરવું જોઈએ

0
Social Share
  • આજે રામનવમીનો અવસર
  • આજના દિવસનું છે ખઆસ મનહત્વ
  • ભગવાન રામનો જન્મદિવસ ઘૂમઘામથી મનાવાઈ છે

આજે સમગ્ર દેશભરમાં મર્યાદા પુરુષત્તમ ભગવાન રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ,આજના આ રામનવમીના દિવસનું વિશેષ મહત્વ હોય છે, ગામ કે શહેરોમાં ભગવાન રામ લલાની યાત્રા નિકાળવામાં આવે છે, ખૂબ જ ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી થતી હોય છે.શ્રીરામના ભક્તો આ દિવસે વિશેષ પૂજામાં દિવસ પસાર કરે છે. શ્રીરામની આરતી ગાવામાં આવે છે, ભજન સાંભળવામાં આવે છે અને મંદિરોમાં પણ દર્શન માટે જાય છે.

જાણો આ વર્ષે એકાદશી ક્યારે?

આ વર્ષે કામદા એકાદશી 1લી એપ્રિલ, શનિવારે ઉજવવામાં આવશે. કામદા એકાદશી આ દિવસે સાંજે 4.20 વાગ્યા સુધી રહેશે. ઉપવાસ બીજા દિવસે એટલે કે 2જી એપ્રિલ, શનિવારે સવારે 4.20 વાગ્યા સુધી રાખી શકાય છે.માન્યતા અનુસાર કામદા એકાદશી પર શ્રી હરિની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિથી પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

આ રીતે કરો ભગવાન રામની પૂજા

ભક્તો બ્રહ્મ મૂહર્તમાં ઉઠે છે અને સ્નાન કરીને તૈયાર થાય છે. યાદ રાખો,ભગવાનની પૂજા કરતી વખતે તન અને મન બંને પવિત્ર હોવું ખૂબ જ જરૂરી છે. તેથી કોઈ પણ પ્રકારના ખરાબ,કલુષપૂર્ણ વિચારોને પોતાના મનમાં ન આવવા દો.

સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લો. બાદમાં તમારા હાથમાં અક્ષત લઈને વ્રતનો સંકલ્પ કરો અને ભગવાન રામના પૂજન કાર્યની શરૂઆત  કરો.

ભગવાન રામની પૂજામાં આ વસ્તુઓની જરૂર પડે છે- ગંગાજળ,5 પ્રકારનાં ફૂલો, ફળ, ચંદન, ધૂપ, ગંધ, તુલસીનાં પાન, કમળનું પાન અને મીઠાઇની જરુર પડે છે.

રામનવમી પર બની રહ્યો છે આ યોગ

રામનવમી પર અમૃત સિદ્ધિ યોગ, ગુરૂ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગોની અસર ત્રણ રાશિઓ પર પડશે. ઉલ્લેખનીય છે કે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ 30 માર્ચે સવારે 6 કલાકથી રાત્રે 10.59 કલાક સુધી રહેશે.

ભગવાન રામે પાપનો કર્યો હતો નાશ

ત્રેતાયુગમાં ઘરતી  પર રાક્ષસોના અત્યાચાર ખૂબ વધી ગયા હતા. રાવણના અત્યાચારને કારણે જનતા પરેશાન હતી. તેથી પાપનો સંપૂર્ણ વિનાશ કરવા અને ધર્મને ફરી સ્થાપવા માટે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો હતો. ભગવાન રામના જન્મ દિવસે ચૈત્ર શુક્લની નવમી હતી. પુનવર્સ  નક્ષત્ર હતું અને લગ્ન કર્ક રાશિમાં હતા. હિન્દુ ધર્મમાં માનનારા લોકો માટે રામનો જન્મદિવસ કોઈ ભવ્ય તહેવારથી ઓછો નથી. આ દિવસ હિન્દુ ઘરોમાં સંપૂર્ણ શ્રદ્ધા,ભક્તિ અને સમર્પણ સાથે ઉજવવામાં આવે છે.

આ દિવસે કન્યા પૂજન પણ કરવામાંન આવે છે

આપણે જાણીએ છીએ તે રીતે રામ નવમી ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે ઉજવવામાં આવે છે. નવમી પર માન્યતા પ્રમાણે કન્યાઓને ઘરમાં કંજક ખવડાવવામાં આવે છે અને કન્યાપૂજન કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર શ્રી રામનો જન્મ ચૈત્ર નવરાત્રીની નવમી તારીખે થયો હતો.આ વખતે કામદા એકાદશી વ્રત અને સોમ પ્રદોષ વ્રત રામનામવી પછી જ મનાવવામાં આવશે.

30 માર્ચ ગુરુવારે રાત્રે 11.30 વાગ્યા સુધી મહાનવમી અને રામનવમીની ઉજવણી કરવામાં આવશે. તે જ સમયે, રામ નવમી વ્રતનું પારણું બીજા દિવસે દશમી તિથિના રોજ યોજાશે. રામનવમી વ્રત પારણ 31મી માર્ચ, ચૈત્ર શુક્લ દશમી તિથિના રોજ બપોરે 1.57 વાગ્યા સુધી ગમે ત્યારે મનાવી શકાશે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code